Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ જીલ્લામાં આગામી શ્રાવણ માસનાં અને અન્ય તહેવારો યોજાશે કે કેમ તે અંગે પ્રશ્નો જાણો વાસ્તવિક હકીકત.

Share

ભરૂચ જીલ્લામાં શ્રાવણ માસનાં તહેવારોનો મહિમા અનેરો છે. જેમાં સૌ પ્રથમ માત્ર ભરૂચ જીલ્લામાં જ નહીં પરંતુ અનેક જગ્યાએ પ્રખ્યાત મેધરાજાની સ્થાપના અને તેના ભવ્ય મેળાનું આયોજન છે. કોરોના મહામારીનાં પગલે મળતી માહિતી મુજબ મેધરાજાની પ્રતિમાની સ્થાપના વિધિવત કરવામાં આવે તેવી સંભાવના છે પરંતુ મેળાનાં આયોજન અંગે હજી પ્રશ્નો યથાવત છે. કોરોનાની મહામારીને પગલે અતિ પ્રસિદ્ધ એવાં આ મેળાનું આયોજન કદાચ શકય નહીં બને તે સાથે છડી કે જે ભરૂચ જીલ્લાની આગવી ઓળખ છે તે છડી નોમનું પર્વ પણ દર વર્ષની જેમ યોજાશે કે કેમ તે હાલ કહી શકાય તેમ નથી. કોરોનાને પગલે ભરૂચ પંથકમાં તહેવારોથી વંચિત રહેવાથી માનસિક ઉદાસીનતાની લાગણી અનુભવી રહ્યા છે. વધતાં જતાં કોરોનાનાં કેસોને બ્રેક લાગે તેવી કામના ભરૂચવાસીઓ કરી રહ્યા છે.

Advertisement

Share

Related posts

ભરૂચ ટ્રાફિક સ્કવોર્ડમાં ફરજ બજાવતા કર્તવ્યનિષ્ઠ એવા પોલીસ કર્મચારીનું કોરોનાનાં કારણે થયેલ નિધન : પોલીસે ગાર્ડ ઓફ ઓનરનું સન્માન આપ્યું.

ProudOfGujarat

ગોધરા : શ્રી સાર્વજનિક કોમર્સ કોલેજ દ્વારા ૭ દિવસીય એન.એસ.એસ. કેમ્પની કરાઇ પૂર્ણાહુતિ.

ProudOfGujarat

અંકલેશ્વર : ટ્રકનાં ચાલકે ટ્રક રિવર્સ કરતા એકટીવાને અડફેટે લઈ લેતા એકટીવા સવાર મહિલાનો આબાદ બચાવ થયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!