Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચનાં જુના સરદાર બ્રિજ પર ખાડો પડતાં ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ.

Share

ભરૂચનાં જુના સરદાર બ્રિજ પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર ગઈકાલ રાતથી સરદાર બ્રિજનાં બંને છેડા તરફ ટ્રાફિકજામ થવા માંડયો હતો. જે આજે સવારે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. તેથી ટ્રાફિક પોલીસે ભરપૂર પ્રયાસો કર્યો હોવા છતાં તેમાં સફળતા પ્રાપ્ત થઈ ન હતી. મળતી માહિતી મુજબ પુલ પર ખાડો પડયો હોવાના કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે. જયારે આ અંગે વધુ તપાસ કરતાં પુલ પરનાં ખાડાનાં સમારકામ માટે તંત્રને જાણ કરી હોવા છતાં સમારકામ થયું નથી જેના પગલે ટ્રાફિકજામની સમસ્યા વધુ વકરી છે. બંને તરફ લાગેલ વાહનોની કતારને પગલે વાહનચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે. આ ખાડો વહેલી તકે પુરાવામાં આવે તેવી લોકમાંગ ઊભી થઈ છે.

Advertisement

Share

Related posts

વડોદરા-શહેરના ગોરવા રિફાઇનરી રોડ પર શ્રીજી વિસર્જન વખતે યુવકોને વીજ કરંટ લાગ્યો-તમામ સારવાર હેઠળ…

ProudOfGujarat

હૈદરાબાદમાં નામપલ્લીના એક એપાર્ટમેન્ટમાં ભીષણ આગ લાગતાં 6 નાં મોત, ત્રણ ગંભીર

ProudOfGujarat

ભરૂચની એક શાળાનાં આચાર્યએ વિશ્વ કોરોના મુક્ત થાય તે માટે માતાજીની આરાધના કરતો અદભુત વિડીયો રજુ કર્યો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!