Proud of Gujarat
INDIAFeaturedGujarat

તરોપા રાજપીપળા વચ્ચે કુંવરપરા નજીકની રેલ્વે ફાટક રિપેરિંગ માટે બે દિવસ બંધ રહેશે.

Share

પશ્ચિમ રેલ્વે દ્વારા રેલ્વે ટ્રેક અને ફાટકોનાં મેન્ટેનન્સની કામગીરી ચાલુ હોઇ,અંકલેશ્વર રાજપીપલા રેલ્વે લાઇન પર કુંવરપરા ગામ નજીકની રેલ્વે ફાટક તા.૬ અને ૭ નાં રોજ મેન્ટેનન્સ કામ માટે બંધ રાખવામાં આવશે. રાજપારડી સ્થિત પશ્ચિમ રેલ્વે કાર્યાલયની એક યાદીમાં જણાવાયા મુજબ અંકલેશ્વર રાજપીપલા રેલ્વે લાઇન પર તરોપા અને રાજપીપલા સ્ટેશનો વચ્ચે કુંવરપરા ગામ નજીકની રેલ્વે ફાટક નંબર ૭૩ તા.૬ જુલાઈ સોમવારનાં સવારનાં ૮ વાગ્યાથી તા.૭ જુલાઈ મંગળવારનાં સાંજના ૬ વાગ્યા સુધી રિપેરિંગ કામ માટે બંધ રાખવામાં આવશે. સીસોદરા વાઘેથા ઓરી પંથક તરફ જવા આવવાવાળા વાહનો રિપેરિંગ કામગીરી દરમિયાન ફાટક નં.૭૩ પરથી પસાર થઇ શકશે નહિં. વધુમાં જણાવાયા મુજબ આ દરમિયાન વાહનોને લેવલ ક્રોસીંગ નંબર ૭૧ , ૭૨ અને એલએચએસ નંબર ૭૪ એ, ૭૫ એ પર ડાયવર્ટ કરવામાં આવ્યા છે. તેથી ફાટક અને રેલ્વે ટ્રેકની રિપેરિંગ કામગીરીના આ બે દિવસો દરમિયાન વાહનોએ દર્શાવેલ વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ.

Advertisement

Share

Related posts

આમોદના ગાંધી ચોક વિસ્તારમાં આવેલ જૈન મંદિરને નિશાન બનાવતા તસ્કરો.

ProudOfGujarat

નર્મદામાં જીવના જોખમે કોરોના મહામારીમાં કામ કરતી ફિમેલ હેલ્થ વર્કરો જ પગારથી વંચિત!

ProudOfGujarat

ઉમરપાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જૂની પેન્શન યોજના શરૂ કરવા અંગે 156 માંગરોળ, ઉમરપાડા ધારાસભ્યને રજૂઆત કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!