Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ રેલ્વે સ્ટેશન નજીક આજે મૂળ નિવાસી સંધ અને જમીયતે ઉલ્મા એ હિન્દ દ્વારા દેશનાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલી અર્પણ કરી ચીનનાં સામાનનો બહિષ્કાર કરવાની અપીલ કરી હતી.

Share

ભરૂચ રેલવે સ્ટેશન આંબેડકર સ્ટેચ્યુ પાસે રાષ્ટ્રીય મૂળ નિવાસી સંઘ તેમજ ગુજરાત જમીયતે ઉલ્મા એ હિન્દ નાં સંયુક્ત ઉપક્રમે ચીન દેશનાં વિરોધમાં એક પ્રદર્શન બુધવારે યોજવામાં આવ્યું હતું.

જેમાં દેશનાં શહીદ જવાનોનાં માનમાં બે મિનિટ મૌન ધારણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ પ્રસંગે રાષ્ટ્રીય મૂળ નિવાસી સંઘનાં પ્રમુખ મહંમદ હનીફ હાસલોદ, ઉપ પ્રમુખ પરેશ મેહતા, જમીયતે ઉલ્મા એ હિન્દનાં જનરલ સેક્રેટરી અબ્દુલ કૈયુમ પટેલ, મહેશ ભાઈ વાઘેલા, મહાવીર સિંગ તેમજ મોટી સંખ્યામાં યુવા કાર્યકરો રાષ્ટ્ર પ્રેમી યુવાનો ઉપસ્થિત રહી ચીનની વસ્તુઓનો વિરોધ કર્યો હતો.આ પ્રસંગે એક આવેદનપત્ર જિલ્લા કલેકટરશ્રી ભરૂચને સુપરત કર્યું હતું. આવેદનમાં દેશ સામે પડકાર ફેંકી રહેલાં ચીન સામે આર્થિક બહિષ્કાર કરવામાં આવે એવી સરકાર સમક્ષ રજૂઆત કરી હતી.

ઇમરાન ઐયુબ મોદી-પાલેજ

Advertisement

Share

Related posts

હવાઈ મુસાફરી થઈ શકે છે મોંઘી, ATFના ભાવમાં ફરી થયો મોટો વધારો

ProudOfGujarat

ઉમલ્લા દુ.વાઘપુરા ગામે યુવાનો દ્વારા પક્ષીઓને પાણી પીવા કુંડા મુકાયા.

ProudOfGujarat

અંકલેશ્વર : ઓદ્યોગિક પ્રદુષિત પાણીને ખાડીઓમાં નિકાલ કરવાનું કોભાંડ ઝડપાયું જીપીસીબી અજાણ કે શામેલ ? અમરાવતી ખાડીમાં પણ અસંખ્ય માછલીઓનું મૃત્યુ .  

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!