Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લા સહિત નવ તાલુકાઓમાં 8 ઇંચ વરસાદ ખાબકી ગયો.

Share

ભરૂચ જીલ્લામાં ગત રાત્રિનાં સમયે પવન સાથે વરસાદનાં ઝાંપટાએ જીલ્લાનાં નવ તાલુકાઓને ભીંજવી નાંખ્યા હતા. ગઇકાલે જોરદાર પવન અને ધોધમાર વરસાદને કારણે લોકોનાં જીવ તાળવે ચોંટી ગયા હતા. જયારે નવ તાલુકાનાં વરસાદનાં આંક જોવામાં આવે તો ભરૂચ-45 મીમી, અંકલેશ્વર-6 મીમી, આમોદ-18 મીમી, જંબુસર-39 મીમી, નેત્રંગ-10 મીમી, વાલિયા-8 મીમી, વાગરા-57 મીમી, હાંસોટ-11 મીમી, ઝઘડિયા-6 મીમી વરસાદ ખાબકી ગયો હતો. જયારે ધોધમાર વરસાદમાં વારંવાર વીજપ્રવાહ જતાં અનેક વિસ્તારોમાં અંધારપટ છવાયો હતો. જયારે શહેરમાં લીમડી ચોક વિસ્તારમાં વીજપોલ ઉપરથી કરંટ ઉતરતા બે ગાયોનાં મોત થયા હતા. જેને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો હતો. જયારે ભરૂચનાં નર્મદા એપાર્ટમેન્ટમાં ઓમ ટાઈપિંગની દુકનની ઉપરની છત તૂટી પડતાં ખુરશી, કોમ્પુટર તૂટી ગયા હતા. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. જયારે ભરૂચ જીલ્લામાં આજે પણ વરસાદી માહોલ છે અને ધોધમાર વરસાદની આગાહી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર-પ્રેમીને પામવા માટે પ્રેમીકાએ આપ્યો હત્યાને અંજામ,ઘટનાને બતાવી આત્મહત્યા,આખરે આવી પહોંચી પોલીસના સકંજામાં અને થઇ ગયો સમગ્ર બનાવનો પર્દાફાશ.જાણો વધુ…

ProudOfGujarat

અમદાવાદ : ચાંદખેડામાં ઓનલાઈન ક્રીકેટ સટ્ટો રમતી યુવતી ઝડપાઈ

ProudOfGujarat

સુરતના ઋગ્વેદનો જન્મના દિવસે જ પાસપોર્ટ તૈયાર, 1 દિવસની ઉંમરમાં પાસપોર્ટ મેળવવાનો દેશનો પહેલો કિસ્સો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!