Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લામાં આજરોજ આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને દહેજની ઘટના અંગે ફરી તપાસ કરી જવાબદાર સામે પગલાં ભરવા સહિત સિવિલ હોસ્પિટલમાં નવો કોલ્ડ સ્ટોરેજ રૂમ બનાવવાની માંગણી કરી હતી.

Share

ભરૂચ જિલ્લામાં આવેલ વાગરા દહેજ ખાતેની યશસ્વી રસાયણિક કંપનીમાં ઘટેલી દુર્ધટનામાં 10 લોકોના મોત થયા હતા. ૫૦ થી વધુ લોકો ગંભીર ઘાયલ થયા હતા ત્યારે આજરોજ ભરૂચ જિલ્લા આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જિલ્લા કલેકટરને એક આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી કે યશસ્વી રસાયણ કંપનીમાં દુર્ઘટનામાં 10 લોકોના મોત બતાવવામાં આવી રહ્યો છે તે આંકડો ખોટો હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સાડા નવથી ૧૧ વાગ્યા દરમિયાન કંપનીમાં 200 કરતાં પણ વધુ કામદારો કામ કરી રહ્યા હતા બે ટેન્કર ચાલક હતા, તેમજ અન્ય કામદારો પણ કામ કરી રહ્યા હતા ત્યારે જે ધડાકો થયો હતો તેમાં અસંખ્ય લોકોને ગંભીર ઈજા પહોંચી હતી તો મોતનો આંક ૧૦ કેમ જોકે કંપની અને અધિકારીઓ મૃત્યુઆંક વધુ હોવાથી તેને છૂપાવી રહ્યાનો આક્ષેપ કર્યો હતો. સાથે આ મામલે સીસીટીવી કેમેરાનાં ફૂટેજ ચેક કરવાની માંગણી કરી હતી, જવાબદાર અધિકારીઓ સામે પોલીસ મથકમાં ગુનો દાખલ કરવાની માંગણી કરી હતી, સાથે સાથે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં નવો કોલ્ડ સ્ટોરેજ રૂમ બનાવવાની માંગણી પણ કરી હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર નજીક થી લાખ્ખોની કિંમત નો વિદેશી દારૂ તેમજ બિયર નો જથ્થો ઝડપાયો.પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી …..

ProudOfGujarat

ઝઘડીયા : ઉમલ્લા પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન અને ગ્રામ પંચાયતને સેનેટાઇઝ કરવામાં આવ્યું.

ProudOfGujarat

ભરૂચનાં પારસીવાડ વિસ્તારમાં ક્રિકેટ મેચ પર સટ્ટા બેટિંગ કરનાર એક ઇસમની પોલીસે કરી ધરપકડ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!