Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના તીર્થ નગરમાં અમદાવાદથી આવેલ પરિવારનાં બાળકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા પરિવારને આરોગ્ય તપાસ માટે મોકલી આપી બાળકને સારવાર અર્થે જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

Share

ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ નહીં વધે તે માટે તંત્ર મહેનત કરી રહ્યું છે. પરંતુ બહારથી આવેલા લોકોના કારણે ફરી જિલ્લામાં કોઈને કોઈ કોરોના પોઝિટિવ દર્દી હોવાનો રિપોર્ટ બહાર આવે છે. ત્યાં અંકલેશ્વરના તીર્થ નગરમાં અમદાવાદથી આવેલ બાળકને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અમદાવાદથી આવેલ પરિવારને આરોગ્ય તપાસમાં છ વર્ષીય બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેને લઇ તેના પરિવારજનોને તાત્કાલિક ધોરણે ફરી આરોગ્ય તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. જ્યારે બાળકને જયાબેન મોદી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. હાલ જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા 38 પર પહોંચી છે, 3 લોકોના મોત થયા છે, જ્યારે 29 લોકો સાજા થતા તેઓને રજા આપવામાં આવી છે.

Advertisement

Share

Related posts

વડોદરા માં ભાજપા ની ચિંતન શિબિરના સ્થળે સ્ટર્લિંગ હોસ્પિટલમાંથી છુટા કરાયેલા કર્મચારીઓનો વિરોધ,૧૦લોકો ની અટકાયત……

ProudOfGujarat

બંધારણના ઘડવૈયા ડૉ.બાબા સાહેબ આંબેડકર સાહેબના નિર્વાણ દિન નિમિત્તે કરજણ ખાતે મૂળ નિવાસી એકતા મંચ દ્વારા ડૉ. બાબા સાહેબ આંબેડકર ને શ્રદ્ધા સુમન અર્પણ કરાયા હતા.

ProudOfGujarat

ઉમરપાડાના બિલવાણની ઉત્તર બુનિયાદ શાળા જિલ્લા કક્ષાની કબડ્ડી સ્પર્ધામાં ચેમ્પિયન બની

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!