Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રીને પત્ર લખી કરી રજૂઆત, લોક ડાઉનમાં મળ્યું છે ભ્રષ્ટાચારીઓને મોકળું મેદાન..!! જાણો વધુ.

Share

ભરૂચ અને નર્મદા જિલ્લામાં તાલુકા તેમજ જિલ્લા પંચાયતમાં ભ્રષ્ટાચાર બાબતે સાંસદ મનસુખભાઈ વસાવાએ મુખ્યમંત્રીને રજુઆત કરી છે, સાંસદે જણાવ્યું છે કે બીટીપી તેમજ કોંગ્રેસ ગઠબંધન વાળી તાલુકા તેમજ જિલ્લા પંચાયતમાં ગુજરાત પેટન તેમજ અન્ય વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થતું હોવાના આક્ષેપ કર્યા છે, પત્રમાં અધિકારીઓ,પદાધિકારીઓ તેમજ વચેટીયાઓ લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરતા હોવાના આક્ષેપ કર્યા છે. સાથે જ ભરૂચ,નર્મદા જિલ્લામાં લોક ડાઉનનાં સમયમાં ભ્રષ્ટાચારીઓને મોકળું મેદાન મળ્યા હોવાનું પત્રમાં ઉલ્લેખ છે. તેમજ સાંસદ મનસુખ વસાવાએ ઉચ્ચ સ્તરીય તપાસની માંગ પણ કરી છે, સાંસદનાં પત્રને લઈ અનેક સવાલ ઉભા થયા છે જેમાં ખુદ રાજ્યમાં ભાજપ સરકાર સત્તામાં છે એવામાં અધિકારીઓ જ ખુદ ભ્રષ્ટાચાર કરતા હોવાના આક્ષેપથી ખળભળાટ મચ્યો છે.

Advertisement

Share

Related posts

માંગરોળ તાલુકાના વાંકલ ગામે આઠમ પર્વની ભવ્ય ઉજવણી કરાઈ

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં કોરોનાં મહામારી સામે રોટરી કલબનું અનોખું યોગદાન…ધારાસભ્ય દુષ્યંત પટેલનાં હસ્તે વેજલપુર અને લાલબજાર આરોગ્યધામ ખાતે સુવિધાની શરૂઆત….

ProudOfGujarat

મહેસાણામાં બસ પલટી જતા એક મહિલા અને એક બાળકનું મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!