Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લામાં કોરોના વાઇરસનાં કુલ 7 લોકોનાં પોઝિટીવ રિપોર્ટ આવતા તેઓને જયાબેન મોદી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે.

Share

દુનિયાભરમાં હાહાકાર મચાવનારી કોરોના વાઇરસની બીમારી હવે ભારતમાં પણ કહેર મચાવવાનું શરૂ કર્યું છે. જેમાં હવે ગુજરાતમાં કોરોના પોઝિટીવ કેસ વધવા અને મૃત્યુઆંક વધવાની શરૂઆત થઈ ગઈ છે. હવે ભરૂચ જીલ્લામાં પણ 7 જેટલા લોકોનાં કોરોના વાઇરસનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જેમાં ઇખર ગામમાં તામિલનાડુથી આવેલ જમાતનાં 11 લોકો પૈકી 4 લોકોનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. જયારે સાંજનાં વધુ એકનો રિપોર્ટ પોઝિટીવ આવતાં તેઓને જયાબેન મોદી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જયારે જંબુસરમાં દેવલા ગામનાં બે લોકોનાં રિપોર્ટ પણ પોઝિટીવ આવતા તેમણે પણ વિશેષ બનાવેલી જયાબેન મોદી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ લોકોને વહીવટીતંત્ર તરફથી અપીલ કરી છે આ લોકોનાં સંપર્કમાં આવેલા લોકો સ્વેચ્છાએ પોતાની મેડિકલ તપાસ કરાવી લેવી.

Advertisement

Share

Related posts

કેન્દ્રીય ચૂંટણી પંચના નાયબ ચૂંટણી કમિશનર હિરદેશ કુમારના અધ્યક્ષસ્થાને છ જિલ્લાઓની ચૂંટણી સંબંધી તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજાઈ.

ProudOfGujarat

માંગરોળ તાલુકાના કંટવા ગામે સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડના સભ્યો દ્વારા વૃક્ષારોપણ કરાયું…

ProudOfGujarat

ભરૂચ : ઝાડેશ્વર ખાતે આવેલ ગાયત્રી મંદિર પાસે નર્મદા નદીના કાદવમાં ગાયનું દોઢ કલાક રેસ્ક્યુ : ફાયર બ્રિગેડની ટીમોએ ભારે જહેમત ઉઠાવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!