Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે હોમિયોપેથીક વિભાગ દ્વારા કોરોના વાયરસનો ઉકાળો તથા હોમિયોપેથીક દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Share

કોરોના વાયરસની દહેશતને પગલે રાજ્યભરમાં આરોગ્ય વિભાગે તકેદારી દાખવવા સધન ઝુંબેશ હાથ ધરી છે. ભરૂચ આરોગ્ય વિભાગે જિલ્લાના 40 જેટલા લોકોને ૧૪ દિવસ સુધી ઘરની બહાર ન નીકળવા સૂચન કર્યું છે. આ તમામ તાજેતરમાં વિદેશ પ્રવાસથી પરત આવ્યા છે. વિદેશ પ્રવાસથી આવેલા આ ૪૦ જેટલા લોકો આરોગ્ય વિભાગના સંપર્કમાં હોવાની પુષ્ટિ થવા પામી છે. અત્યાર સુધી ભરૂચ આરોગ્ય વિભાગ દ્વારા કુલ ૨૭ લોકોને ૧૪ દિવસ સુધી તબીબી નિરીક્ષણ હેઠળ રાખ્યા હતા અને કોષ પૂરો થતાં કોરોનાના કોઇ લક્ષણ ન દેખાતા તંત્રએ હાશકારો લીધો હતો. જોકે જિલ્લા આરોગ્ય અધિકારીએ હાલ જિલ્લામાં કોરોના વાયરસને લઇ ચિંતાની કોઇ બાબત નહિ હોવાનું જણાવ્યું છે જોકે તકેદારી રાખવાની અપીલ કરી છે.

દરમ્યાન આજરોજ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે હોમિયોપેથીક વિભાગ દ્વારા કોરોના વાયરસનો ઉકાળો તથા રોગ પ્રતિકારક હોમિયોપેથીક દવાનું વિના મુલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું જેનો લાભ મોટી સંખ્યામાં લોકોએ લીધો હતો.

Advertisement

Share

Related posts

જામનગરની જી.જી.હોસ્પિટલમાં યૌન શોષણ મામલે ફરિયાદ બાદ બે આરોપીની ધરપકડ : હજી ત્રણ નામ બહાર આવવાની સંભાવના.

ProudOfGujarat

માંગરોળ : ઝંખવાવ ગામમાં ગોદળા-તકીયા-ગાદલાં બનાવતા સેવાભાવી યુવકે બે હજાર માસ્ક તૈયાર કરી જાહેર જનતાને વિતરણ કર્યું.

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલ રીગલ એપાર્ટમેન્ટમાં આવેલ દુકાનમાંથી શંકાસ્પદ ઇલેક્ટ્રિક સામાન સાથે એક ઈસમની ધરપકડ કરતી ક્રાઇમ બ્રાંચ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!