Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા નદીને ફરી શહેરના કિનારે લાવવા માછી સમાજ દ્વારા આંદોલન છેડાયું, વિવિધ સુત્રોચ્ચાર કરી વાતાવરણ ગજવી મુક્યું હતું.

Share

ગુજરાતની જીવાદોરી સમાન ભરૂચ શહેરમાંથી ખળખળ વહી રહેલી નર્મદા નદીને પુનઃ વહેતી કરી ચેતનવંતી બનાવવા માટે માછી સમાજ દ્વારા આંદોલનનો પ્રારંભ કરાયો છે. જે અંતર્ગત માછી સમાજ દ્વારા ભરૂચ જિલ્લા સમાહર્તાને ગુરુવારના રોજ આવેદનપત્ર પાઠવી રજુઆત કરાઇ હતી. આવેદનપત્રમાં નર્મદા નદીને પુન:ચેતનવંતી કરી ભરૂચ શહેરનો વૈભવી ઇતિહાસ પરત લાવવાની માંગ કરી હતી. શિયાળામાં નર્મદા નદી અંકલેશ્વર છેડે વહેતી થતા ઉનાળામાં નદી નામશેષ થવાનો ભય વ્યક્ત કરાયો હતો. સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજના આગેવાનો દ્વારા નર્મદા નદી માટે અભિયાન છેડાયું છે. જીયો ઓર જીને દો, હમ હમારા હક માંગતે હૈ, નહીં કીસી સે ભીખ માંગતે હૈ જેવા વિવિધ સુત્રોચ્ચારોથી કલેકટર સંકુલ ગુંજી ઉઠ્યું હતું.

Advertisement

Share

Related posts

ભરૂચ : રીક્ષા સાથે બાઇક અથડાતાં બાઇકને અકસ્માત નડતાં બાઇક ચાલકે રીક્ષા ચાલકને માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાની તમામ કોર્ટોમાં તા.૦૯ મી ડિસેમ્બરે રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે

ProudOfGujarat

– ભરૂચ લોકસભા બેઠક માટે મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રીએ પેજ પ્રમુખો, કોર કમિટી અને સંચાલન સમિતિ સાથે ચૂંટણી બેઠક યોજી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!