Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા નદીને ફરી શહેરના કિનારે લાવવા માછી સમાજ દ્વારા આંદોલન છેડાયું, વિવિધ સુત્રોચ્ચાર કરી વાતાવરણ ગજવી મુક્યું હતું.

Share

ગુજરાતની જીવાદોરી સમાન ભરૂચ શહેરમાંથી ખળખળ વહી રહેલી નર્મદા નદીને પુનઃ વહેતી કરી ચેતનવંતી બનાવવા માટે માછી સમાજ દ્વારા આંદોલનનો પ્રારંભ કરાયો છે. જે અંતર્ગત માછી સમાજ દ્વારા ભરૂચ જિલ્લા સમાહર્તાને ગુરુવારના રોજ આવેદનપત્ર પાઠવી રજુઆત કરાઇ હતી. આવેદનપત્રમાં નર્મદા નદીને પુન:ચેતનવંતી કરી ભરૂચ શહેરનો વૈભવી ઇતિહાસ પરત લાવવાની માંગ કરી હતી. શિયાળામાં નર્મદા નદી અંકલેશ્વર છેડે વહેતી થતા ઉનાળામાં નદી નામશેષ થવાનો ભય વ્યક્ત કરાયો હતો. સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજના આગેવાનો દ્વારા નર્મદા નદી માટે અભિયાન છેડાયું છે. જીયો ઓર જીને દો, હમ હમારા હક માંગતે હૈ, નહીં કીસી સે ભીખ માંગતે હૈ જેવા વિવિધ સુત્રોચ્ચારોથી કલેકટર સંકુલ ગુંજી ઉઠ્યું હતું.

Advertisement

Share

Related posts

પંચમહાલની ઔધોગિક નગરી હાલોલમાં પણ લોકડાઉનનો અમલ

ProudOfGujarat

રાજ્યની નગરપાલિકાઓમાં પર્યાવરણ જાળવણી માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાનાં અણધરા ગામે થયેલ વૃદ્ધની હત્યાનાં આરોપીને પોલીસે ઝડપી લીધો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!