Proud of Gujarat
FeaturedGujarat

“ભૃગુ ધરા કો કર દો હરા” ના સંકલ્પને સાકાર કરવા સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા આજરોજ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Share

દિનેશભાઈ અડવાણી

ભૃગુ ધરા કો કરદો હરા ના સંકલ્પ ને સાકાર કરવા સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા લીંકરોડ નજીક આવેલ નારાયણ ગાર્ડન સોસાયટી, કે.જે ચોક્સી લાઇબ્રેરી તથા એલિડ સ્કુલ ખાતે ૫૦ જેટલા વૃક્ષો ના રોપાઓની રોપણી કરી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.જેમાં આયુર્વેદીક રોપાઓની પણ રોપણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સંસ્થાના સભ્યો, લાઇબ્રેરીના સંચાલક અને સ્ટાફ, શાળાનો શિક્ષકગણ, વિધ્યાર્થીઓ તથા સોસાયટીના પર્યાવરણ પ્રેમી તથા જાગૃત નાગરિકો એ હાજરી આપી હતી. ચોમાસાની ઋતુ દરમિયાન વધુને વધુ વૃક્ષો ભરૂચ જિલ્લાની શાળાઓ, જાહેર જગ્યાઓ, રોડ રસ્તાઓ, તળાવ તથા નદીના કિનારે વાવવામાં આવશે તે અંગે નો સંકલ્પ ઉપસ્થિત લોકો ને લેવડાવવામાં આવ્યો હતો સાથે વિધ્યાર્થીઓને વૃક્ષ નું જીવનમાં મહત્વ સમજાવી તેઓના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતું.

Advertisement


Share

Related posts

અંકલેશ્વર : અજાણ્યા વાહનની અડફેટે આવતા ટ્રક ચાલકનું કમકમાટી ભર્યું મોત.

ProudOfGujarat

લીંબડી ભફૈયા હનુમાનજી મંદિર રોડ પર આવેલ ખેતરમાંથી બે ભેંસોની ચોરી કરી ઇસમ ફરાર

ProudOfGujarat

બેન્કિંગ નિયમોમાં ફેરફાર : વર્ષમાં 20 લાખથી વધુ ઉપાડ-જમા પર પાન કાર્ડ અને આધાર ફરજિયાત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!