Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

કરંટ લાગતા વડોદરા એસ.ટી વિભાગમા ફરજ બજાવતા કર્મચારીનુ નિપજેલ મોત

Share

 

( હારૂણ પટેલ ભરૂચ )

Advertisement

ભરૂચના ભોલાવ એસ.ટી વર્કશોપના ટાયર પ્લાન્ટ નજીક કરંટ લાગતા વડોદરા એસ.ટી વિભાગમા ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા કર્મચારીનુ મોત નિપજ્યુ હતુ.મળતી માહિતી મુજબ ભરૂચના એસ.ટી વર્ક શોપ ખાતે આવેલ ટાયર પ્લાન્ટમા વડોદરાના પાણી ગેટ બસ ડેપો ફરજ બજાવતા સંજય કુમાર ધિરજલાલ પંડયા ઉ.વ આશરે ૫૦ કોઈ કામ અર્થે ભોલાવ વર્કશોપ ખાતે આવ્યા હતા. તે સમય દરમ્યાન નજીકમા શોચક્રીયા માટે નજીકમા ગયા હતા. એ દરમ્યાન અચનાક સંજય ભાઈએ બુમ પાડતા નજીકમા ઉભેલા વ્યક્તિઓ સંજય ભાઈ પાસે પહોંચી ગયા. ૧૦૮ ઈમરજંસી સેવા ધ્વારા તેમણે ભરૂચ સિવીલ હોસ્પીટલ ખાતે લઈ જવામા આવ્યા હતા. જ્યા તબીબોએ તેમણે મૃત જાહેર કર્યા હતા. પ્રાથમિક તારણ મુજબ તેમણે હાથના ભાગે કે પગના ભાગે કરંટ લાગતા તેમણુ મોત નિપજ્યુ હોવાનુ અનુમાન કરાઈ રહ્યુ છે. બનાવની તપાસ સી ડીવીઝન પોલીસ કરી રહી છે.


Share

Related posts

ઝઘડીયાના મોરણ ગામે ગાડીમાં ગીતો વગાડીને જતા ઇસમો પર અન્ય છ ઇસમોનો હુમલો.

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકા વિરોધ પક્ષની રજૂઆત છતાં ભરૂચ ડુંગરી વિસ્તારની પાણીની ટાંકી ન ઉતારતા આખરે આ ટાંકી ધરાશાયી થઈ.

ProudOfGujarat

મોટરીંગ પબ્‍લીકની સગવડતા માટે પસંદગી નંબરની ફાળવણી માટે ઓનલાઇન RE-AUCTION શરૂ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!