Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચ શક્તિનાથ પાસે ખુલ્લી ગટરના પગલે ગંદકીનું સામ્રાજ્ય.ગટરના ભૂંગળા ચોરાયા?

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ નગરના શક્તિનાથને ભરૂચના મુખ્ય વિસ્તાર તરીકે ગણવામાં આવે છે.વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન આજ વિસ્તારમાં કરવામાં આવે છે .એટલું જ નહિ પરંતુ જાહેર સભાઓ પણ આજ વિસ્તારમાં યોજવામાં આવે છે એટલું જ નહિ પરંતુ ભરૂચ નગરના મોટા ગજાના અધિકારીઓ અને પદાઅધકારીઓ આજ વિસ્તાર માંથી દિવસમાં કમસે કમ એક વાર પસાર થાય છે.ત્યારે આવા વિસ્તારમાં ગટરનું ગંદુ પાણી મહિનાઓથી વહી રહ્યું છે.એટલે સુધી કે વારંવાર આ અંગે નગરપાલિકામાં રજુઆત કર્યા બાદ નગરપાલિકાના કર્તા-હર્તાઓએ આ કામને ધ્યાન માં લઇ મજુર કરેલ હતું.ભૂંગળાઓ પણ નખાયા હતા પરંતુ ભૂંગળાઓની ચોરી થઈ હોય તેવી સંભાવના સેવાય રહી છે.હજી પણ જતા-આવતા ભક્ત જનોને આવા ગંદા પાણીના પગલે ફરી નાહવું પડે તેવું હાલ જણાય રહ્યું છે.ત્યારે ગટરના ભૂંગળા કોણ ચોરી ગયું તેની તપાસ થવી જરૂરી છે.આ વિસ્તાર પરથી ગાયંત્રી નગર,મુક્તિ નગર,અને અન્ય વિસ્તારના લોકો સતત અવાર જવર કરે છે તેમ છતાં તત્રંની આંખ ઉઘડતી નથી.

Advertisement


Share

Related posts

ભરૂચ કલેકટરની અધ્યક્ષતામાં ૭૫ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સંદર્ભે બેઠક યોજાઇ.

ProudOfGujarat

ભરૂચ : નબીપુર રેલવે સ્ટેશન નજીક માલગાડી અડફેટે એક અજાણી મહિલાનું મોત.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના રાજપારડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જયાબેન મોદી હોસ્પિટલના ઉપક્રમે ઓર્થોપેડિક કેમ્પ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!