Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાયુસેનાના જવાનોની જવાબી કાર્યવાહીની ભરૂચ જિલ્લાના રહેવાસીઓ પર અસર જાણો કેવી…

Share

મળસ્કાના સમયથી જ જ્યારે ભરૂચ જિલ્લાના લોકો ઉંઘમાંથી ઉઠી રહ્યા હતા ત્યારે ભારતીય વાયુસેનાના પરાક્રમની વાતો જાણી વાયુસેનાને મનોમન અભિનંદન પાઠવી રહ્યા હતા.આતંકવાદનો ખાત્મો ક્યારે થશે અને આતંકીઓને ક્યારે બોધપાઠ તેમની જ ભાષામાં અપાશે તેની આતુરતા પૂર્વક ભરૂચ જિલ્લાના રહેવાસીઓ રાહ જોઈ રહ્યા હતા.પુલવામામાં થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલ જવાનોને ખરી શ્રદ્ધાંજલિ ભારતીય વાયુ સેનાએ આપી હોવાનું ભરૂચ જિલ્લાના લોકોની લાગણી જણાતી હતી.આતંકવાદી હુમલાબાદ દરરોજ શહીદોના માનમાં મૌન રેલી તેમજ અન્ય શ્રદ્ધાંજલિ કાર્યક્રમો યોજાતા હતા.આ કાર્યક્રમમાં લોકોએ સ્પષ્ટ અભિપ્રાય આપ્યો હતો કે આતંકવાદીઓને તેમની જ ભાષામાં જવાબ આપવો જોઈએ.લાતો કે ભૂત બાતો સે નહીં માનતે.આખરે ભરૂચ જિલ્લાના રહીશોની લાગણી અને માંગણી સંતોષાતી હોય તેમ ભારતીય વાયુસેનાના સાહસિક અને પરાક્રમી સૈનિકોએ વહેલી સવારે ૩૦૦ કરતાં વધુ આતંકીઓને અને તેમના અડ્ડાઓનો નાશ કર્યો.ભરૂચ જિલ્લાના રહીશો આ વીર સૈનિકોને સલામ કરે છે.

Advertisement

Share

Related posts

નડિયાદ : ઓવરબ્રિજનું ઉદ્ઘાટન થયા છતાં બસો ન જતાં વિદ્યાર્થીઓને હાલાકી.

ProudOfGujarat

અંકલેશ્વર-મોટાલી ગામ નજીક હાઇવે ઉપર બાઈક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો.બાઇક સવારનું ઘટના સ્થળે જ મોત.કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર…

ProudOfGujarat

કોરોના વાયરસના ભયના પગલે અત્યાર સુધીમાં ભરૂચમાં 850 વિદેશીઓનું ચેકઅપ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!