Proud of Gujarat
FeaturedGujaratINDIATop NewsWorld

સમગ્ર ભરૂચ જિલ્લામાં વીર શહીદોના બલિદાન અંગે સહાનુભૂતિ અને બીજી તરફ પાકિસ્તાન તરફ રોષનો જ્વાળામુખી ફાટી નીકળ્યો…

Share

પુલવામાં ખાતે થયેલ આતંકવાદી હુમલાના બનાવમાં શહીદ થયેલ જવાનો અને તેમના પરિવારો પ્રત્યે આજે તેમજ ગઇકાલથી જ ભરૂચના લોકોમાં લાગણીઓ જણાતી હતી. ભરૂચ જિલ્લાની શાળાઓમાં શહીદોના માનમાં બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું એટલું જ નહિ પરંતુ સહકારી સંસ્થાઓ અને અન્ય સંસ્થાઓમાં પણ મૌન પાળવામાં આવ્યું હતું. ગત રોજ બનેલા બનાવના પગલે અને આતંકવાદી ઘટનાના તાર સીધા પાકિસ્તાન સાથે જોડાયેલા હોવાના અહેવાલોના પગલે ભરૂચ જિલ્લામાં પાકિસ્તાન તરફ રોષની લાગણી જણાઈ રહી છે એટલું જ નહીં પરંતુ લોકો પાકિસ્તાનને બોધપાઠ પાઠવવા સરકાર દ્વારા કડકમાં કડક પગલાં ભરાય તેવી માંગ કરવામાં આવી હતી.

અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા દરેક કર્મચારીને શહીદોના માનમાં બે મિનિટનું મૌન પાળી પછી ફરજ પર હાજર થવા આદેશ અપાતા કર્મચારીઓએ બે મિનિટનું મૌન પાળ્યું હતું.

Advertisement



Share

Related posts

વાંકલ : ઉમરપાડાનાં કેવડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રસીકરણ અભિયાન હાથ ધરાયું.

ProudOfGujarat

ભરૂચ આયકર વિભાગનાં અધિકારીઓ ઝધડીયાનાં ખેડૂતોને ઈન્કમટેક્સની નોટિસો ફટકારી ખેડૂતોનાં પૂરાવા માંગી લાંચ પેટે રૂપિયા માંગણી કરી રહ્યા હોવાથી તે અંગે પગલાં ભરવાની માંગણી કરતું આવેદનપત્ર ભરૂચ જીલ્લા કલેક્ટરને આપ્યું હતું.

ProudOfGujarat

સુરત જીલ્લામાં વરસાદી માહોલ ફરી જામ્યો : ઓલપાડમાં એક ઘર પર પડી વીજળી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!