Proud of Gujarat
FeaturedGujaratINDIATop NewsWorld

સમગ્ર ભરૂચ જિલ્લામાં વીર શહીદોના બલિદાન અંગે સહાનુભૂતિ અને બીજી તરફ પાકિસ્તાન તરફ રોષનો જ્વાળામુખી ફાટી નીકળ્યો…

Share

પુલવામાં ખાતે થયેલ આતંકવાદી હુમલાના બનાવમાં શહીદ થયેલ જવાનો અને તેમના પરિવારો પ્રત્યે આજે તેમજ ગઇકાલથી જ ભરૂચના લોકોમાં લાગણીઓ જણાતી હતી. ભરૂચ જિલ્લાની શાળાઓમાં શહીદોના માનમાં બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું એટલું જ નહિ પરંતુ સહકારી સંસ્થાઓ અને અન્ય સંસ્થાઓમાં પણ મૌન પાળવામાં આવ્યું હતું. ગત રોજ બનેલા બનાવના પગલે અને આતંકવાદી ઘટનાના તાર સીધા પાકિસ્તાન સાથે જોડાયેલા હોવાના અહેવાલોના પગલે ભરૂચ જિલ્લામાં પાકિસ્તાન તરફ રોષની લાગણી જણાઈ રહી છે એટલું જ નહીં પરંતુ લોકો પાકિસ્તાનને બોધપાઠ પાઠવવા સરકાર દ્વારા કડકમાં કડક પગલાં ભરાય તેવી માંગ કરવામાં આવી હતી.

અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા દરેક કર્મચારીને શહીદોના માનમાં બે મિનિટનું મૌન પાળી પછી ફરજ પર હાજર થવા આદેશ અપાતા કર્મચારીઓએ બે મિનિટનું મૌન પાળ્યું હતું.

Advertisement



Share

Related posts

ભરૂચ : અંકલેશ્વરના માંડવા ગામે દારૂના નશામાં ત્રણ મિત્રો વચ્ચે ઝઘડો થતાં બે ઈજાગ્રસ્ત થયા : એકનુ કરુણ મોત.

ProudOfGujarat

કરજણ પોલીસ મથકમાં નગરના હિંદુ – મુસ્લિમ આગેવાનોની શાંતિ સમિતિની બેઠક યોજાઈ.

ProudOfGujarat

ભરૂચ નર્મદા મૈયા બ્રિજ પર અકસ્માતો બાદ તંત્ર એક્શનમાં, બ્રિજ પર સ્પીડ ગન તૈનાત કરાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!