Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ-આગામી ઉત્તરાયણ પર્વને લઇ જન જાગૃતિ અર્થે રેલી નિકળી-જાણો શુ સંદેશ આપવામાં આવ્યો.

Share

આગામી અવકાશી યુદ્ધ ના પર્વ ઉત્તરાયણ પર્વની ઉજવણી દરમ્યાન પતંગ ના દોરા થી ઘાયલ થતા પક્ષીઓને બચાવવા હાથધરાયેલ કરૂણા અભિયાન અંતર્ગત જનજાગૃતિ રેલીનું આયોજન કરવાામાં આવ્યું હતું.ઉત્તરાયણ પર્વ માં છેલ્લા કેટલાક સમયથી પરદેશી દોરા અને પ્લાસ્ટીક દોરીનો ઉપયોગ થઇ રહ્યો છે.જેના કારણે પશુ પંખી અને પર્યાવરણને ભારે નુકશાન થઇ રહ્યું છે.

Advertisement

અબોલ અને નિર્દોષ પક્ષીઓ ઘાયલ થાય છે.અને મૃત્યુને પણ ભેટે છે.જે બાબતે જન જાગૃતિ કેળવવા પ્રયાસરૂપે કરૂણા અભિયાન અંતર્ગત ભરૂચ શ્રવણ ચોકડી થી સંરક્ષણ કચેરી સુધી જન જાગૃતિ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું.રેલીમાં વન વિભાગ ઉપરાંત વિવિધ જીવદયા અને સ્વૈચ્છિક સંસ્થાઓ અને શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા .


Share

Related posts

વડોદરાની વિશ્વામીત્રી નદીમાં કૂદેલા યુવકનો મૃતદેહ બે દિવસ બાદ મળ્યો.

ProudOfGujarat

ભરૂચના જાયન્ટસ ગ્રુપના સભ્યો સાથે પ્રમુખ ગૌતમ મહેતા દ્રારા ઠંડી છાશના પાઉચનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

નેત્રંગમાં ખેડુતે પોતાના જન્મદિવસ નિમિત્તે વિધવા મહિલાઓને ધાબળા વિતરણ કર્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!