Proud of Gujarat
GujaratFeaturedINDIA

નર્મદા જિલ્લામાં તિલકવાડા તાલુકાના કંથરપુરાના ગ્રામજનો કેનાલના પાણીથી વંચિત.

Share

નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના કંથરપુરા તથા મરસણ ગામના ખેડૂતોને જ્યારથી મરસણ માઇનોર કેનાલનું નિર્માણ કરાયું છે ત્યારથી આજ દિન સુધી આ કેનાલનું એક ટીપું પાણી ન મળતાં ગ્રામજનોમાં રોષની લાગણી વ્યાપી છે. આ બાબતે ગામના આગેવાન ગૌરવ ભાઈએ જણાવ્યું હતું કે જ્યારથી કેનાલનું નિર્માણ થયું છે ત્યારથી માંડીને આજ દિન સુધી કેનાલનું પાણી મળ્યું જ નથી. જેથી ગ્રામજનોને ખેતી માટે, સિંચાઈ માટે તેમજ ઢોરઢાંખરના પશુચારા માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેમજ પાણી નહીં મળતાં કપાસનો પાક પણ સુકાઈ જાય છે. આ બાબતે કેવડિયા કોલોની ખાતે જે તે સંબંધિત કચેરીના અધિકારીઓને પણ જાણ કરી છે તેમ છતાં આજ દિન સુધી આ માંગણીઓને કચેરીએ ધ્યાનમાં લીધી નથી.

વધુમાં જાણવા મળેલ છે કે આ બાબતે ગ્રામજનોએ કલેકટર શ્રી, નર્મદા જિલ્લાને પણ લેખિતમાં જાણ કરેલ છે. જો ગ્રામજનોને સત્વરે પાણી આપવામાં નહીં આવે તો મુખ્યમંત્રીની કચેરીના દ્વાર ખખડાવતા પણ અચકાશે નહીં તેમ જાણવા મળેલ છે.

Advertisement

Share

Related posts

નર્મદા જીલ્લાના ડેડીયાપાડા તાલુકાના ઇન્દલાવી ગામે પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી.

ProudOfGujarat

ચાવજ ગામ ખાતે ગુજરાત રાજ્યના પ્રથમ પૂર્વ મહિલા મુખ્યમંત્રી અને મધ્યપ્રદેશના રાજ્યપાલ આંનદીબહેન પટેલના 77માં જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

વડોદરા: ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસમાં જંગી વધારો : હોસ્પિટલમાં જામી ભીડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!