Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગુજરાત રાજ્યમાં ઉદ્યોગકારોના હિત માટે થનારી નવી જાહેરાતોની રાહ જોતા ઉદ્યોગકારો.

Share

નવા ઉદ્યોગને ૩૦ દિવસમાં રાજય સરકાર મંજૂરી તેમજ અનેક અન્ય નાણાકીય અને માણખાકીય જાહેરાતો ની અપેક્ષા

પ્રજામાં વિકાસ અને પર્યાવરણ નું સંતુલન કેવી રીતે કરાશે એ ચર્ચાતો પ્રશ્ન..?
તારીખ. 07.12.2018
અંકલેશ્વર
રાજ્ય ના ઉદ્યોગોના પ્રતિનિધિ મંડળે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાથે  01.12.18 ના રોજ શનિવારે ખાસ મિટિંગ કરી હતી જેમાં ‘‘ઇઝી અોફ ડૂઇંગ બિઝનેસ’’ ના સદર્ભમાં મુખ્યમંત્રી વિજયભાઇઍ રાજ્ય ના ઉદ્યોગોના પ્રતિનિધિઅોને વિશ્વાસ અપાવ્યો હતો કે રાજય સરકાર વ્યવસાયની સરળતા માટે ઉદ્યોગોના નવીનીકરણ કે નવા ઉદ્યોગ ખાસ કરીને નાના ઉદ્યોગો માટે અરજી કર્યાથી ૩૦ દિવસમાં મંજૂરી આપશે. આ બેઠકમાં ગુજરાત રાજ્ય ના પર્યાવરણ મંત્રી જયદ્રથસિંહ પરમાર પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના ચેરમેન રાજીવકુમાર ગુપ્તા (IAS) તથા ઉપસ્થિત રહયા હતા. આમ રાજય સરકાર તેમજ જીપીસીબી તથા ઉદ્યોગોના પ્રતિનિધિઅો વચ્ચે ખૂબ સારી મિટીંગ થઇ હતી.

Advertisement

મુખ્યમંત્રી વિજયભાઇઍ ઉદ્યોગો માટે બીજી પણ કેટલીક ચર્ચા કરી હતી જે હવે અંગે આગામી ૧૨, ડીસેમ્બરે ગાંધીનગર મહાત્મા મંદિરમાં ઉદ્યોગકારો સાથેની યોજાનારી બેઠકમાં જાહેરાત કરવામાં આવશે તેવું જાણવા મળે છે.

ગુજરાત ના ઉદ્યોગ સાહસિકો માટે સારા સમાચાર છે. હવેથી રાજય સરકાર ઉદ્યોગના નવીનીકરણ કે પછી નવા ઉદ્યોગ માટેની અરજીના ૩૦ દિવસમાં મંજૂરી આપવા ની જાહેરાત કરી શકે છે.

અંકલેશ્વર ખાતે ના 5 MLD ના વધારા ના લોડ ની મન્જુરી અને નવા બનનારા ETP પ્લાન્ટ ની સ્થાપના ની સરળતા તેમજ તે બનાવવા માટે ના ખર્ચ અંગે ની નાણાકીય યોજનાઓ ની જાહેરાત થાય એવી અપેક્ષા અંકલેશ્વર ના ઉદ્યોગકારો રાખી રહ્યા છે.

વાપીના ઉદ્યોગો માટે સારા સમાચાર ઍ હોઈ શકે છે કે દમણના દરિયા સુધી સીઇટીપી થી જે પાઇપ લાઇન નાંખવાની યોજના છે તેના માટે પણ કઇ રીતે ફંડ ભેગું કરવું તથા તથા આ અંગે કઇ રીતે આગળ વધવું તેના માટે જાહેરાત ની અપેક્ષા છે.
નવી જાહેરાત ની અપેક્ષા માં એ કે જે ઉદ્યોગોઍ ઇસી (ઍન્વાયર્મેન્ટ ક્લિયરન્સ) મેળવ્યું હોય તેમને સીટીઈ પ્રાપ્ત કરવાની જરૂર નથી. તેઅો સીટીઅો સીધું જ મેળવશે.

ઉદ્યોગકારો ની બેન્ક ગેરન્ટી ની મોટી રકમ સરકાર માં જમા છે તો આ રકમ નો ઉપયોગ નાના ઉદ્યોગકારો ને કે પર્યાવરીય હીત માટે ETP કે લાઈનો નાખવા માં આ રકમ લૉન સ્વરૂપે કે સબસીડી ના સ્વરૂપે વપરાય એવી માંગણીઓ ઉદ્યોગકારો તરફથી છે.

ઍવી પણ અપેક્ષા રાખવામાં આવે છે કે ડાઇઝ ઍન્ડ ઇન્ટરમિડિયેટ્સ ઇન્ડસ્ટ્રીઝ તેના ઉત્પાદનની કોઈ પણ પરવાનગી લીધા ઉત્પાદનમાં ફેરફાર કરી શકે છે. જો ઉત્પાદન વર્તમાન ઉત્પાદન રેખાના વર્ગમાં આવતું હોય. તથા ઉત્પાદન ઘટક હાલની ઉત્પાદન લાઇન સાથે મેળ ખાતું હોય.

ઔદ્યોગિક ઘન કચરા ના નિકાલ અર્થે નવી ટીઍસડીઍફ સાઇટને ડેવલપ કરવા પણ મુખ્યમંત્રીઍ ચર્ચા કરી હતી. માટે તે અંગે પણ નવી જાહેરાત થઈ શકે છે.

આ મીટીંગ માં ઉદ્યોગકારો એ પોતાના અનેક પ્રશ્નો અને યોજનાઓ ની ચર્ચા કરી છે. અને ઉદ્યોકારો ઉત્સાહ માં છે અને આગામી 12 ડિસેમ્બરે થનારી મીટીંગ માં સરકાર તરફથી થનારી જાહેરાતો તરફ મીટ માંડી ને બેઠા છે.

ગુજરાત સરકાર અનેક વિકટ પરિસ્થિતિ માંથી પસાર થઈ રહી છે અને આવનારા 2019 ના લોકસભા ની ચૂંટણી ની તૈયારીઓ માં વ્યસ્ત પણ છે અને ઉદ્યોગકારોને ના લાંબા સમય થી ચાલતા પ્રશ્નો અને માંગણીઓ નું કઈ રીતે નિરાકરણ લાવવા તે બાબતે ગમ્ભીર બની છે.

સરકાર નું વીકાસ સંકલ્પ છે પરંતુ સાથે સાથે પર્યાવરણ નું સનતુલન કઈ રીતે જળવાય એ મહત્વ નું છે.

પર્યાવરણ ના પણ અનેક પ્રશ્નો છે જે સીધે સીધા માનવ સવસ્થાય સાથે સંકળાયેલા છે. હવા પાણી નું પ્રદુષણ વધ્યું છે. ભૂગર્ભ જળ સ્તર નીચે ગયા છે સાથે સાથે ભૂગર્ભ જળ સ્તર પ્રદુષિત થયા છે. લાલ પીળા કલર ના પાણી બોર માંથી આવવાની ઘટનાઓ ના સમાચારો રોજ રોજ આવી રહ્યા છે. કાયદાકીય છૂટ-છાટ કે કાયદા સાથે બાંધછોડ કર્યા વગર વિકાસ નું સનતુલન જળવાય અને ઉદ્યોગકારો ની માંગણીઓ સ્વીકારાય એ મહત્વનું છે. જો તેમ ના થાય તો આવી જાહેરાતો ચૂંટણીલક્ષી જાહેરાતો છે એવા આક્ષેપ નું સામનો સરકારે કરવું પડે એમ છે.

આમ સરકાર તમામ પાસાઓ ને ધ્યાને લઇ ને કેવી જાહેરાતો કરે છે તેની રાહ જોવાઈ રહી છે.

રાજય સરકાર દ્વારા ઉદ્યોગો માટેની આ બધી યોજનાઅોની જાહેરાત મુખ્યમંત્રી વિજયભાઇ સાથે ની ૧૨ ડીસેમ્બરની ઉદ્યોગકારો સાથેની બેઠકમાં કરશે તેવું વિશ્વસનીય સૂત્રો દ્વારા જાણવા મળે છે.


Share

Related posts

એમ.એસ યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયામાં વિલંબ થવાથી વીસીને રજૂઆત કરવા જતાં વિવાદ સર્જાયો.

ProudOfGujarat

બોરસદની શાળાના દિવ્યાંગ વિધ્યાર્થીએ જી મેઇનસ પરિક્ષા પ્રથમ પ્રયત્ને પાસ કરી.

ProudOfGujarat

પાલેજ નવી નગરીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!