Proud of Gujarat
GujaratFeaturedINDIA

વારંવાર તસ્કરો નંદેલાવ મઢુંલી સર્કલ પર આવેલ SBI બેંકના ATMને જ કેમ નિશાન બનાવે છે..? તપાસનો વિષય..!

Share

ભરૂચની નજીક આવેલ નંદેલાવ-બાયપાસ રોડ ઉપર મઢુંલી નજીકના SBI બેંકના ATMને જ તસ્કરો કેમ નિશાન બનવવાનો પ્રયાસ કરે છે, તેના કારણો જોતા આ ATM રાજ્ય ધોરી માર્ગની તદ્દન નજીક આવેલ છે. કોઈપન તસ્કરો રાત્રીના સમયે વાહનમાં આવી પોતાની તસ્કરી કરી પલાયન થઈ શકે છે. થોડા જ અંતરે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પણ હોવાથી પોલીસ તંત્ર હરકતમાં આવે કે તપાસનો આરંભ કરે તે પહેલાં જ તસ્કરો ક્યાંક ને ક્યાંક લાંબા અંતરે નીકળી જવામાં સફળ થઈ શકે છે.

ઉપરાંત પરપ્રાંતિયોની વસ્તી નજીક આ ATM સેન્ટર આવેલ હોવાથી આ સેન્ટરની સલામતી અર્થે વધુ પગલાં લેવાવા જોઈએ. આ જ કારણોસર રાત્રીના સમયે સામાન્ય રીતે શુમસાન વિસ્તારમાં આવેલ આખેઆખા ATMને ઉચકી લઈ જવાનો પણ પ્રયાસ અગાઉના દિવસોમાં તસ્કરો દ્વારા કરવામાં આવ્યો હતો.

Advertisement

ભોલાવ વિસ્તારમાં આવેલ શુરભી બંગ્લોઝ નજીક HDFC બેંકના ATM સેન્ટરને તોડી લાખો રૂપિયાની ચોરી કરી હોવાનો બનાવ પણ પોલીસના ચોપડે પણ નોંધાયો છે.


Share

Related posts

પિતાએ ઠપકો આપતા ઘરેથી નીકળી ગયેલી યુવતીને ૧૮૧ અભયમની ટીમે સમજાવી ઘરે સુરક્ષિત પહોંચાડી

ProudOfGujarat

સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ ગુજરાત દ્વારા આવેદન અપાયું

ProudOfGujarat

ભરૂચ : વેલ્ફર હોસ્પિટલ ખાતે લાગેલ આગનાં મામલે આમ આદમી પાર્ટીનાં પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ ઘટના સ્થળની મુલાકાત લીધી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!