Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચ-નગર પાલિકા પાસે શહેર માંથી પાણી ભરાવાની સમસ્યાઓ દૂર કરવા માટે કોઇ એક્શન પ્લાન જ નથી ???

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં સામાન્ય વરસાદી માહોલમાં પણ વરસાદી પાણી ભરાઇ જવાની સમસ્યા હવે વર્ષો પુરાની બની છે.આજ થી વર્ષો પહેલા જે સ્થળો ઉપર પાણી ભરાતા હતા એ જ સ્થળો ઉપર આજે પણ પાણી ભરાવાની સમસ્યા યથાવત છે.પ્રજાના પૈસે લાખ્ખોની ફિગર માં પગાર ધરાવતા અધિકારીઓ કર્મચારીઓ આજે પણ શહેરની સમસ્યાઓ દૂર કરવામાં નિષ્ફળ રહ્યા હોય તેમ શહેર માં વરસતા સામાન્ય વરસાદી માહોલમાં પાણી ભરાઇ રહ્યા છે તે બાબત ઉપર થી કહી શકાય તેમ છે.શહેરના નિચાણવાળા વિસ્તાર કસક, દાંડિયા બજાર, ફુરજા ચાર રસ્તા, ફાટા તળાવ, ગાંધી બજાર સહિતના વિસ્તારોના લોકો તો જાણે કે સામાન્ય વરસાદ માં પોતાના રોજગાર ધંધાની આશ જ છોડી દેતા હોય છે. અનેક વર્ષોના વરસાદી માહોલમાં રજુઆતો અને તંત્ર ના આશ્વાસન થી થતી કામગીરી અત્યાર સુધી નિષ્ફળ સાબિત થતી હોય તેમ લાગી રહ્યું છે.વરસાદી માહોલ ની શરૂઆત માં ભરાતા પાણીમાં એક તરફ પ્રજા ત્રસ્ત બની છે તો બીજી તરફ તંત્રના અધિકારીઓ આ સમસ્યા ને કંઈ રીતે દૂર કરી શકાય તેના આયોજનો ઘડવામાં જ લાગ્યા હોય તેવી લોકચર્ચા ચાલી રહી છે.

Advertisement


Share

Related posts

અગાઉ વાંધા સૂચનો મંગાવ્યા પછી એ આવેલ વાંધાઓ ને ધ્યાને લીધા વગર રાજકીય જોરે હાંસોટ તાલુકાની હજારો હેક્ટર જમીન ફાળવતા સ્થાનિકો ને અન્યાય..ઘરના ઘન્ટી ચાટે…તેવો ઘાટ.

ProudOfGujarat

અસુરીયા પાટીયા યુ-ટર્ન પાસે એસ.ટી બસ અને બાઇક ચાલક વચ્ચે અકસ્માત સર્જાતાં બે ઇસમોને મોત

ProudOfGujarat

ભરૂચ : પાલેજમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન વિહોણા લાભાર્થીઓને મકાનની ફાળવણી કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!