Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચ:”ભૃગુ ધરા કો કર દો હરા” અભિયાન અંતર્ગત આજરોજ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર અને વનવિભાગ તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા વૃક્ષ ઉછેરનો સંકલ્પ સિધ્ધ થાય તે અર્થે વૃક્ષારોપણ અભિયાનનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો.શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે તેમજ ભોલાવ તળાવ ની આસપાસ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ભરૂચ જિલ્લા કલેક્ટર રવિ અરોરા,ડી.ડી.ઓ ક્ષિપ્રા આગ્રે ,ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ,ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવા સહિત વિવિધ સંસ્થા અને વન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.”ભૃગુ ધરા કો કર દો હરા” અભિયાન અંતર્ગત જિલ્લામાં અલગ-અલગ સ્થાનો ઉપર ૨૦ લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે જે પર્યાવરણ માટે ખૂબ સારો એવો પ્રયાસ હાથ ધરાયો છે.

Advertisement


Share

Related posts

ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ નિમિત્તે કરજણ ખેતીવાડી બજાર સમિતિ ખાતે શ્રદ્ધાંજલી અર્પિત કરાઇ.

ProudOfGujarat

અલવિદા કોમરેડ… લોકસભાના પૂર્વ સ્પીકર સોમનાથ ચેટરજીનું ૮૯ વર્ષની વયે નિધન છેલ્લા કેટલાક દિવસથી બિમાર હતા

ProudOfGujarat

અમદાવાદમાં જગન્નાથ મંદિરનું રિ ડેવલોપમેન્ટ થશે, 50 હજાર ભક્તો દર્શન કરી શકે એવું મંદિર બનશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!