Proud of Gujarat
FeaturedGujaratWoman

ભરૂચ જિલ્લા માહેશ્વરી મહિલા મંડળ દ્વારા એકાદશી નિમિત્તે અંકલેશ્વર રેલ્વે સ્ટેશન પર મુસાફરોને સરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Share

દિનેશભાઇ અડવાણી

સેવાભાવી સંસ્થાઓ અને નાગરિકો દ્વારા અંકલેશ્વર રેલ્વે સ્ટેશનના પ્લેટ ફોર્મ નંબર-૧ પર પાણીનું વિના મુલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે.ભરૂચ જિલ્લા માહેશ્વરી મહિલા મંડળ અને જિલ્લા માહેશ્વરી યુવા સંગઠન દ્વારા પણ ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.સમાજની મહિલાઓ ટ્રેનમાં આવતા મુસાફરોને વિના મુલ્યે પાણીનું વિતરણ કરે છે. ત્યારે ગુરુવારના રોજ ભીમ એકાદશી નિમિત્તે રેલ્વે સ્ટેશન પર આવતા મુસાફરોને સરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું.જેમાં મહિલાઓએ મુસાફરોને સરબત અને પાણીનું વિતરણ કર્યું હતું.સદર કાર્યક્રમમાં માહેશ્વરી સમાજના આગેવાન ભવાની શંકર અને સભ્ય તેમજ મહિલા મંડળની બહેનો અને રેલવેના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement


Share

Related posts

ભરૂચ : અંકલેશ્વર માર્ગ પર ડમ્પર અને રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત અન્ય એક ઘાયલ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો..!!

ProudOfGujarat

સુરત : સરથાણાનાં નેચર પાર્કમાં પ્રાણીઓ અને પંખીઓને ઠંડીથી રાહત આપવા અદભૂત વ્યવસ્થા કરાઇ.

ProudOfGujarat

અમદાવાદ ઇન્દોર ક્રોસીંગ પર ટ્રક અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાતા એકનું મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!