Proud of Gujarat
EducationFeaturedGujarat

ભરૂચની કવિન ઓફ એંજલ શાળાના સંચાલકો આખરે ઝુક્યા.RTE હેઠળ બાળકોને શાળા પ્રવેશ આપવા તૈયાર…

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચમાં ખ્રિસ્તી મિશનરીની શાળાઓ તેમના આપખુદશાહી વહીવટના કારણે અવાર-નવાર વિવાદના વમળોમાં ઘેરાયેલી રહે છે.વડદલા ખાતે આવેલ ક્વીન ઓફ એન્જલ સ્કૂલએ સરકારના RTE નિયમ હેઠળ વિદ્યાર્થીઓને પ્રવેશ ના આપતા વિવાદ છેડાયો હતો વાલીઓએ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને ફરિયાદ કરવા છતાં શાળા સંચાલકો મચક ના આપતા આ મામલો ગાંધીનગર પોહ્ચ્યો હતો.ત્યારે આજરોજ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કે.ટી.પટેલે શાળામાં આક્રમક વિઝીટ કરી હતી અને પ્રાથમિક શિક્ષણાધિકારી કે.ટી.પટેલે કડક સૂચના આપતા RTE હેઠળ બાળકોને શાળા પ્રવેશ આપવા કવિન ઓફ એંજલ શાળાના સંચાલકો આખરે તૈયાર થયા હતા.આ બનાવને જોતા ગુજરાતી કહેવત આખરે સાચી ઠરી “ચમત્કાર બતાવો તો જ નમસ્કાર થાય “.

Advertisement

ફાઈલ ફોટો


Share

Related posts

ભરૂચમાં યુનિસેફ વર્લ્ડ વિઝન અને જીલ્લા પંચાયત આરોગ્ય શાખાનાં સહયોગથી કોવિડ-19 જાગરૂકતા રથનું કરાયું પ્રસ્થાન.

ProudOfGujarat

ઇદે મિલાદ પર્વ નિમિત્તે પાલેજ પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ.

ProudOfGujarat

પાલેજની એમકોર કંપનીના ૭૦ કર્મચારીઓ પગાર બાબતે હડતાળ પર ઉતર્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!