Proud of Gujarat
FeaturedGujarat

નર્મદા નદીના કિનારે ધરતી પુત્રો ખેડૂતો બેહાલ.જમીનમાં પાણી આપતા મીઠું છાંટ્યો હોવાનો એહસાસ.જાણો સળગતી સમસ્યા…

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ જિલ્લા માંથી પસાર થતી જીવાદોરી સમાન નર્મદા નદી તત્રંના પાપે સુકાય ગઈ છે.માછીમારોનો ધંધો છીનવાય ગયો છે.તેમની રોજીરોટી છીનવાય જતા માછીમારોના કુટુંબોને ભુખમરાનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિનું સર્જન થયું છે.એ સાથે ભરૂચ જિલ્લા માંથી વહેતી નર્મદા નદીના કિનારે આવેલ શુકલતીર્થ,કડોદ અને તવરા થી ઝનોર સુધીની પટ્ટીના તેમજ ભાડભૂત સુધીના નદી કિનારાના ખેડૂતોના ખેતરોમાં પાણી આપવામાં આવે છે ત્યારે જમીન પર ખેતરમાં મીઠાની ચાદર પાથરી દેવાય હોય તેવા દ્રશ્યો જોતા કિસાનોની આંખોમાંથી આંસુ આવી જાય છે.જંગી ખર્ચે લાવેલ બિયારણ અને ખેત મજૂરી તેમજ અન્ય ખર્ચ માથે પડે છે.ખેડૂતોની આવી વસમી અને કારમી સમસ્યા સામે તત્રંના જવાબદાર અધિકારી અને પદાધિકારીઓ ક્યારે પગલાં ભરશે તે અંગે ખેડૂતો રાહ જોય રહ્યા છે.આવું ને આવું વર્ષો સુધી રહેશે તો ખેડૂતોના કુટુંબોની કેવી હાલત થશે તે વિચારવું રહ્યું.

Advertisement


Share

Related posts

સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદીમાં પુરની સ્થિતિ, ભરૂચના કાંઠે પાણી પ્રવેશ્યા, ફુરજા ખાતે તણાઇ જતા એકનું મોત.

ProudOfGujarat

ભરૂચના ઝાડેશ્વર ખાતે શ્રી સૌરાષ્ટ્ર લેઉઆ પટેલ સમાજ દ્વારા નિઃશુલ્ક સર્વ રોગ નિદાન અને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો.

ProudOfGujarat

કોરોનારૂપી અંધકાર સામે દેશવાસીઓની એકતારૂપી પ્રકાશના વિજયનો સંદેશ આપવાના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનાં આહવાહનને ઉમળકાભેર વધાવી લઈ ગોધરા દીવડાઓથી ઝગમગ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!