Proud of Gujarat
FeaturedGujarat

હનુમાન જયંતિ નિમિતે ભરૂચના રોકડીયા હનુમાન મંદિર ખાતે તડામાર તૈયારીઓ શરૂ….

Share

દિનેશભાઇ અડવાણી

ચૈત્ર સુદ પૂનમ શુક્રવાર તારીખ ૧૯-૦૪-૧૯ ના રોજ હનુમાન જયંતિ હોવાના પગલે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.હનુમાન જયંતિના પાવન પ્રસંગે ભરૂચના રોકડીયા હનુમાન મંદિર ખાતે હનુમાન દાદાને છપ્પન ભોગનો પ્રસાદ ધરાવવામાં આવશે તથા મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવશે.આ પ્રસંગે મંદિરને સુંદર રીતે વિવિધ રંગની લાઈટો દ્વારા સળગારવામાં આવી રહ્યું છે તથા તમામ ભક્તો માટે યોગ્ય તેટલી સુવિધાઓ ઉભી કરવા માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે.આ પ્રસંગનો લાભ લેવા મંદિર તરફથી ધર્મપ્રેમી ભક્તોને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.હનુમાન જયંતિના દિવસે માં નર્મદા નદીમાં સ્નાન કરવાનો અનેરો મહિમા હોવાથી લોકો વહેલી સવારે સ્નાન કરવા જતા હોય છે પરંતુ આ વર્ષે નર્મદા નદીમાં સ્નાન કરવા માટે યોગ્ય માત્રામાં પાણી તથા સુવિધાઓ ન હોવાથી ભક્તો માં મુંજવણ જોવા મળી રહી છે હવે જોવું રહ્યું કે આ પ્રસંગે તત્રં કોઈ વવ્યસ્થા કરે છે કે ખાલી વાતો જ થશે.

Advertisement


Share

Related posts

જંબુસર ના ઉચ્છદ ગામે એક અજાણ્યા વ્યક્તિએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના વીજ કર્મચારીનું ફરજ દરમિયાન વીજ કરંટ લાગતા મોત

ProudOfGujarat

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લા GVK ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ દ્વારા વૃષા રોપણ કરી ઉજવણી કરવામાં આવી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!