Proud of Gujarat
FeaturedGujarat

દાંડિયા બજાર ગટર લાઈનના ખોદકામથી લોકોને પારાવાર તકલીફો …

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ નગરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ રસ્તાઓ ઉપર ભૂગર્ભ ગટર યોજના અંગે ખોદવામાં આવેલ ખાડાઓના પગલે રાહદારીઓ અને વાહન ચાલકોને પારાવાર તકલીફો પડી રહી છે .દાંડિયા બજાર વિસ્તાર ભરૂચ નગર પાલિકાના પ્રમુખ સુરભીબેન તમાકુવાડાનો વિસ્તાર છે.ત્યારે આ વિસ્તારનાજ રસ્તા બિસ્માર હાલતમાં હોવાના પગલે આ બાબત લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. વળી દાંડિયા બજાર વિસ્તાર એ ભરૂચનો વેપારી બજાર વિસ્તાર છે .તેમજ શાકભાજીનું મોટું બજાર અહીં ભરાય છે .તે સાથે જુના ભરૂચનો હજી પણ મુખ્ય માર્ગ આ વિસ્તાર માંથી પસાર થાય છે. ત્યારે આ વિસ્તારમાના ખાડામાં વાહનો ખાબક્યા હોવાના બનાવો પણ ઘણીવાર બન્યા છે.

Advertisement


Share

Related posts

ભરૂચ : નેત્રંગ તાલુકાના રમણપુરા ગામ નજીક બલદેવ ડેમમાં કાર ખાબકતા એક જ પરિવારના ત્રણના મોત.

ProudOfGujarat

વડોદરાના પૌરાણિક ભીડભંજન મારુતિ મંદિર ખાતે આધુનિક વ્યવસ્થા કરાઇ…જાણો શું ?

ProudOfGujarat

સુરત : ખોટા આદિવાસી દ્વારા ખોટા લાભ લેનાર સામે આકરી કાર્યવાહીની માંગ સાથે કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!