Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : જે.બી.સી.એલ. અને એફ.એમ.સી. કોર્પોરેશન કંપની દ્વારા જયાબેન મોદી હોસ્પિટલને લાખોના અનેક સાધનોની સહાય.

Share

અંકલેશ્વર જે. બી. કેમિકલ એન્ડ ફાર્માકયુટીકલ્સ દ્વારા રૂ.23 લાખના ખર્ચે એક ચેલેન્જર્સ મેઈક સી-આર્મ મશીન અર્પણ કરવામાં આવ્યું હતું તથા એફ.એમ.સી. કોર્પોરેશન કંપની દ્વારા રૂ. 60 લાખના ખર્ચે જર્મન મેઈક સર્જીકલ માઈક્રો સ્કોપ શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલને અર્પણ કરવામાં આવ્યા હતા.

જે પ્રસંગે જે. બી. કેમિકલના પ્રમુખ ભરત ઘાનાની તથા એફ.એમ.સી.કોર્પોરેશનના સીઈઓ મનોજ ખન્ના અને તેમના સભ્યો જૂથ યોગેશ ત્રિવેદી તથા અજય ભાંરબેની ઉપસ્થિતિમાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલના દર્દીઓની ઘનિષ્ઠ સરવાર માટે મશીનો અર્પણ કરવામાં આવ્યા હતા.

જયાબેન મોદી હોસ્પિટલને અંકલેશ્વરની કંપનીઓ દ્વારા સી-આર્મ મશીન, ન્યુરો માઈક્રોસ્કોપ, વેન્ટિલેટર, હિલિમિયમ લેસરનું દાન કરવામાં આવ્યું છે જેનાં થકી ભરૂચ અને અંકલેશ્વરના જરૂરિયાતમંદ લોકોને અમદાવાદ અને સુરત વડોદરા નહીં જઈ અને અંકલેશ્વર ખાતે આવેલ જયાબેન મોદી હોસ્પિટલમાં જ સારવાર આપવામાં આવે તે હેતુથી આજરોજ મશીનો અર્પણ કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલના કમલેશ ઉધાની તથા મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. અંજના ચૌહાણ તથા અન્ય તબીબો અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા અને બંને કંપનીઓનો આભાર વ્યકત કર્યો હતો.

Advertisement

મુકેશ વસાવા : અંકલેશ્વર


Share

Related posts

ભરૂચ જિલ્લાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ભંગારનો ધંધો સાથે સંકળાયેલ વ્યક્તિઓએ આ સુચનાઓનું અવશ્ય પાલન કરવું ———-

ProudOfGujarat

સીરત કપૂર “એક લડકી ભીગી ભાગી સી” ગીત પર ડાન્સ કરે છે, ચાહકો કહે છે નવા જમાનાની મધુબાલા.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં બહારથી આવેલા ત્રણ લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા હોવાના આરોગ્ય તપાસમાં બહાર આવ્યા બાદ જિલ્લામાં કોરાના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 57 પર પહોંચી ગઈ છે જ્યારે જિલ્લામાં કુલ ચાર મોત હમણાં સુધીમાં થયા છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!