Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : અંકલેશ્વર અંસાર માર્કેટ પાસે જાહેરમાં પડેલા ભંગારનાં જથ્થામાં આગ લાગતાં દોડધામ મચી.

Share

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અંસાર માર્કેટ પાસે જાહેરમાં પડેલા ભંગારનાં જથ્થામાં આગ ભભૂકી ઉઠી હતી. ભંગારના જથ્થા સાથે રહેલા વાહનો પણ આગની ઝપેટમાં આવ્યા છે. ડીપીએમસી કે ફાયર ટીમને જાણ કર્યા વગર જાતે જ આગ ભંગારીયાઓએ આગ ઓલવી હતી. વારંવાર ભંગાર માર્કેટમાં લાગતી આગ શંકાસ્પદ બની છે.

ત્યારે આગના બહાને કેમિકલ યુક્ત કચરાનો થતાં નિકાલની શકયતા સામે આવી છે. બનાવની વિગતો અનુસાર અંકલેશ્વર અંસાર માર્કેટ તરફ જતા એપ્રોચ રોડ પર ગઇકાલના રોજ બપોરે રોડને અડીને આવેલ સરકારી જમીન પર ફૂટપાથ પર રહેલા ભંગારના જથ્થામાં આગ ભભૂકી ઉઠી હતી. થોડી જ ક્ષણોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ત્યાં રહેલા ભંગારના વાહનો અને ઉભેલા આઇસર ટેમ્પા લપેટમાં લેવા કગાર પર પહોંચી હતી. ભંગાર વેપારી ઓ જાતે જ આગ બુઝાવાની કોશિષ કરી રહ્યા હતા.

Advertisement

Share

Related posts

દમણ દરિયા કિનારે 2 યુવકોને ડૂબતા રેસ્કયુ કર્યા બાદ દરિયા કિનારે પ્રવાસીઓને ન્હાવા પર જિલ્લા કલેકટરે પ્રતિબંધ લગાવ્યો.

ProudOfGujarat

લીંબડી ખાતે પીર મહેમુદ શા બુખારીની નિશાન સાથે પગપાળા યાત્રા આવી પહોંચી.

ProudOfGujarat

આણંદના રેલવે સ્ટેશન પર પાટા ઓળંગતા કિશોરનું ટ્રેનની અડફેટે મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!