Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરનાં દઢાલ નજીક ગ્રીનસીટી સોસાયટીમાંથી 2 બાઇકોની ઉઠાંતરી થતા ચકચાર.

Share

અંકલેશ્વરમાં તસ્કરો જાણે કે બેફામ બન્યા હોય તેવી સ્થિતીનું સર્જન થયું છે, શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં દિન પ્રતિદિન થતા ચોરીઓના બનાવોમાં જ્યાં એક તરફ લોકોની સાથે સાથે પોલીસને દોડતી કરી છે તો બીજી તરફ અવારનવાર ઘટનાઓ પ્રકાશમાં આવતા હજુ પણ થમવાનું નામ ન લેતી હોય તેમ લાગી રહ્યું છે.

અંકલેશ્વરનાં દઢાલ નજીક ગ્રીનસીટી સોસાયટીમાંથી 2 જેટલી બાઇકોની એક સાથે ઉઠાંતરી થતા ચકચાર મચ્યો છે, રાત્રીના સમયે સોસાયટીમાં પાર્ક કરેલ બાઇકોની ઉઠાંતરીનાં પગલે સોસાયટીનાં લોકોએ રાત્રીની નીદ્રા બાદ સવાર પડતા જ દોડતા મૂકી દીધા હતા, સાથે જ સમગ્ર મામલા અંગે પોલીસ ફરિયાદ દાખલ કરવાની પણ તજવીજ શરૂ કરવામાં આવી છે.

Advertisement

મહત્વનું છે કે અંકલેશ્વરમાં વધતાં જતા ચોરીઓનાં બનાવો પોલીસ માટે પણ પડકાર સમાન બન્યા છે, ત્યારે વધુ એક ઘટના સામે આવતા હવે પોલીસની નાઈટ પેટ્રોલીંગ જેવી બાબતો સામે પણ પ્રશ્નો ઉભા થયા છે, ત્યારે વહેલી તકે આ પ્રકારે બફામ બનેલા તસ્કરોને પોલીસ દ્વારા ઝડપી લઇ કાયદાના પાઠ ભણાવવામાં આવે તેવી લોક માંગ ચોરીની ઘટનાઓ બાદથી ઉઠવા પામી છે.


Share

Related posts

અંકલેશ્વર જી.આઇ.ડી.સી વિસ્તારમાં અછોડાતોડ પકડાયા.

ProudOfGujarat

દેશના વિવિધ પ્રદેશો સાથે કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતી ૮ ટ્રેનોને PM અપાશે લીલીઝંડી

ProudOfGujarat

ભરૂચ-અંકલેશ્વર વચ્ચે રેલવે ટ્રેનની અડફેટે ૩ લોકોના મોત.એકજ રાત્રીમાં રેલવે અકસ્માતમાં ત્રણ લોકોના મોત થી ચકચાર…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!