Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર રેલવે સ્ટેશન નજીક ટ્રેન અડફેટે આવેલા અજાણ્યા ઈસમનું સારવાર દરમિયાન મોત…

Share

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર રેલવે સ્ટેશન નજીક ટ્રેન અડફેટે એક અજાણ્યા ઈસમનું કરૂણ મોત નિપજવા પામ્યું હતું. ભરૂચ રેલવે પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ગત ૧૯ મી ફેબ્રુઆરીના રોજ સાંજના ચાર વાગ્યાના સુમારે અંકલેશ્વર રેલવે સ્ટેશનની ઉત્તરે ઓ.એન.જી.સી. બ્રિજ નીચે રેલવે કિમી ૩૧૭/૧૮ ના થાંભલા પાસે ડાઉન મુખ્ય રેલ્વે લાઈન ઉપર કોઈપણ ટ્રેનની અડફેટે એક આશરે ૪૦ વર્ષનો અજાણ્યો ઈસમ આવી જતા તેનો જમણો હાથ ખભાના ભાગેથી કપાઇ જતા ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. મૃતક શરીરે પાતળા બાંધાનો રંગે ઘઉં વર્ણનો, ઉંચાઈ ૫×૬ ઇંચ, કમરના ભાગે સ્લેટીયા રંગનું પેન્ટ પહેરેલ છે. બનાવની તપાસ ભરૂચ રેલવે પોલીસ મથકના એ. એસ.આઇ. હસનભાઇ એન. ચલાવી રહ્યા છે. મૃતકના વાલીવારસોએ ભરૂચ રેલવે પોલીસ મથકનો સંપર્ક કરવા જણાવાયું છે.

યાકુબ પટેલ : પાલેજ

Advertisement

Share

Related posts

ઝઘડિયાના ફુલવાડી થઇને જીઆઇડીસીમાં જતા માર્ગની બિસ્મારતાને લઇને હાલાકી.

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા મળી, સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે વિવિધ મુદ્દે આક્રમક ચર્ચા

ProudOfGujarat

દિલ્હી: જંતર મંતર પર શરૂ થઈ ખેડૂતોની ‘સંસદ’: ત્રણ સ્પીકર બનાવવામાં આવ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!