Proud of Gujarat
INDIAFeaturedGujarat

અંકલેશ્વરનાં વાલિયા સીલુડી ચોકડી ખાતે કેવી રીતે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ નોંધાયો ગુનો…જાણો વધુ.

Share

ભરૂચ જીલ્લાનાં વાલિયામાં ઔદ્યોગિક હેતુસર લીધેલ જમીનમાં ગેરકાયદેસર કબ્જો કરી ઝુંપડા બાંધી રહેતા આઠ શખ્સો વિરુદ્ધ વાલિયા પોલીસે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ગુનો દાખલ કર્યો.

આ બનાવની મળતી વિગતો અનુસાર રેન્જ આઈ.જી. વડોદરા હરિકૃષ્ણ પટેલ, ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા ગુજરાત સરકારના કાયદા મુજબ ગેરકાયદેસર ઇન્ડસ્ટ્રીયલ પ્લોટને કબ્જે કરી વસવાટ કરતાં શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના કરી હતી. જેમાં ભરૂચના કલેકટરનાં અધ્યક્ષ સ્થાને મળેલી જીલ્લા લેન્ડ ગ્રેબિંગ સમિતિમાં થયેલ અરજી બાબતે ગુનો દાખલ કરવાનો હુકમ થતાં અંકલેશ્વર વિભાગનાં નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઇનાં માર્ગદર્શન હેઠળ ફરિયાદી સુરેશભાઇ ભૂરાલાલ પન્નાલાલ જૈન ઉં.વ.50, ધંધો-વેપાર, રહે.મકાન નં.4 મહાવીર રેસીડન્સી છરવાડા રોડ, જલારામ સોસાયટીની સામે વાપી જી. વલસાડનાએ ” મહાવીર એન્ટર પ્રાઈઝ ” નાં નામથી ઔદ્યોગિક હેતુસર વાલિયા સીલુડી ચોકડી ખાતે ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ નં. 7/1 વાળી જમીન ખરીદ કરેલ જે જમીન ઉપર ગેરકાયદેસર કબ્જો કરી ઝુંપડા બનાવી પ્લોટ ખાલી નહીં કરનાર આઠ શખ્સો (1) રામજી નાગજી ભરવાડ (2) હરજી નાગજી ભરવાડ (3) જગસી નાગજી ભરવાડ (4) ભિખા નાગજી ભરવાડ (5) ગાબા એંગાર ભરવાડ (6) વિલા વિહા ભરવાડ (7) સતા વિહા ભરવાડ (8) ઘેલા ડાબા બાહરવાદ સહિતનાં તમામ ફરિયાદી સુરેશભાઇનાં ઇન્ડસ્ટ્રીયલ પ્લોટમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી જમીન પચાવી પાડી હતી. આ તમામ આરોપીઓ વિરુદ્ધ વાલિયા પોલીસે ગુનો દાખલ કરી ગુજરાત સરકારનાં નવા કાયદા ” ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ ” અધિનિયમ 2020 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી આગળ વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે બે દિવસીય દિવ્યાંગજન શક્તિકરણ કાર્યક્રમ યોજાશે.

ProudOfGujarat

ઝઘડિયા ખાતે અંબેશ્વર મહાદેવ મંદિરનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો.

ProudOfGujarat

શહેરા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ૬૦૦૦ની લાંચ લેતા ACBના હાથે ઝડપાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!