અંકલેશ્વર જીઆઇડીસી ખાતે 500 ક્વાર્ટર વિસ્તારમાં રહેતી વર્ષાબેન ધીરજભાઈ અંબાલાલ ગાંધી સવારના સમયે જૈન મંદિરના દર્શન માટે આવ્યા હતા તે દરમિયાન દર્શન કરી પરત ઘરે જતી વેળાએ જનઔષધિ મેડિકલ સ્ટોર પાસે બહાર ઓટલા પર ઉભેલા હતા તે દરમિયાન બે જેટલા અજાણ્યા ઈસમોએ તેમને નજીક બોલાવી કહેલું કે સોના ચાંદીના દાગીના ઉતારી થેલીમાં મૂકી દો તેમણે વધુમાં જણાવ્યું હતું કે હાલમાં ચોરીનું પ્રમાણ વધી ગયું છે તેથી તેમણે લાગતા તેઓએ સોના-ચાંદીના થેલીમાં મૂકી દીધા હતા. દરમ્યાન વર્ષાબેનની નજર ચૂકવી થેલીની અદલાબદલી કરી સોના-ચાંદીના દાગીના લઇને નાસી છૂટયા હતા.
આ ઘટનાની જાણ જીઆઇડીસી પોલીસ મથકે થતાં જ જીઆઇડીસી પોલીસે બે અજાણ્યા ઈસમો વિરૂધ્ધ 420 120b મુજબનો ગુનો દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
Advertisement