Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર પાનોલી ઉદ્યોગો નું મિશન કાશ્મીર જાણો વધુ…???

Share

એકતરફ અંકલેશ્વર માં આજરોજ આભ ફાટવા થી ૨ કલાક ના સમય માં ૫ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો અને રોડ રસ્તા ઓ પર પાણી નો ભરાવો થઈ ગયો હતો તો બીજી તરફ ઉદ્યોગો ઘ્વારા ગેસ છોડતા વાતાવરણ માં ધુમ્મસ જેવી ચાદર ફેલાઈ ગયી હતી.
ઉપર લખેલી લાઈન માં આપ ને પ્રથમ દષ્ટિ એ લાગશે કે અંકલેશ્વર પાનોલી માં વળી ક્યાં કાશ્મીર આવ્યું પરંતુ આ વરસાદી માહોલ માં અંકલેશ્વર અને પાનોલી ના અમુક વિસ્તાર કાશ્મીર માં હોવાનો એહસાસ કરાવી રહ્યું છે. કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધૂમમ્સ ની સફેદ ચાદર એ કાશ્મીર માં હોવાનો એહસાસ કરાવે છે તેજ રીતે અંકલેશ્વર અને પાનોલી ઉપર આજ રોજ સાંજ ના સમયે ઉદ્યોગો ના ધુમાડા થકી સફેદ ચાદર પથરાઈ ગયી હતી. અંકલેશ્વર થી સુરત અને સુરત થી ભરૂચ તરફ બંને સાઈડ હાઇવે પર ઉદ્યોગો ના ધુમાડા ના લીધે વિઝીબલિટી એકદમ ઝીરો થઈ ગયી હતી જેના કારણે હાઇવે પર વાહનો ને દિવસ ના સમયે પણ લાઈટો ચાલુ કરી પસાર થવું પડ્યું હતું. સદનસીબે આ ધુમાડા ઓ ના લીધે કોઈ મોટો અકસ્માત ન થયું પરંતુ વાહનો ને આ રસ્તા ઓ પર થી પસાર થવા ભારે જહેમત કરવી પડી હતી.તો તંત્ર આવા વરસાદી સમય માં ઉદ્યોગો ને લગામ લગાવી રાખે તે જરૂરી છે જેના કારણે કોઈ મોટો અકસ્માત ના થાય.

Advertisement

Share

Related posts

સાયણ-કુડસદ સ્ટેશન વચ્ચેના રેલ્વે ક્રોસિંગ ઓવરબ્રિજ નિર્માણ કાર્ય પ્રગતિમાં હોવાથી વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા જાહેરનામુ બહાર પડાયું.

ProudOfGujarat

ભરૂચ માં હિન્દુ ધર્મ ના ગ્રંથોનું ખોટું અર્થઘટન કરી ધાર્મિક શાંતિ ડહોળતા શખ્સની અટકાયત કરતી રૂરલ પોલીસ

ProudOfGujarat

ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા ગાંધીજીની 150 મી જન્મ જયંતિની ઉજવણી .

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!