Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર આમલાખાડીમાં છોડાતા પ્રદુષિત પાણી અંગે 5 કંપનીઓ ઝડપાઇ.

Share

અંકલેશ્વર નજીક આવેલ આમલાખાડીમાં પ્રદુષિત પાણી છોડવા અંગે રહીશો દ્વારા મોટાપાયે હોબાળો કરવામાં આવતા તેમજ ખેડૂત જગતમાં પણ આ અંગે વિરોધ કરાતા GPCB હરકતમાં આવી હતી અને GPCB દ્વારા આમલાખાડીમાંથી સેમ્પલિંગ લેવાયું હતું. મળતી માહિતી મુજબ આ અંગે 5 કંપનીઓ ઝડપાઇ હતી. આ કંપનીઓમાં અંકલેશ્વર GIDC ની 4 અને પાનોલી GIDC ની 1 કંપનીનો સમાવેશ થાય છે. આ કરતાં પણ વધુ કંપનીઓ આ મામલે જવાબદાર હોય તેવી શંકા સેવાઇ રહી છે ત્યારે GPCB દ્વારા સેમ્પ્લો લેવાની અને નોટિસો ફટકારવાની રીત રસમની ટીકા પણ ચારે તરફથી થઈ રહી છે. વાસ્તવમાં મોટાભાગની કંપનીઓ પ્રદુષિત પાણીને પ્રોસેસ કર્યા વિના તેનો નિકાલ કરી રહી છે.

Advertisement

Share

Related posts

યુવાશક્તિ દિન ઉજવણીના ભાગરૂપે જિલ્લા રોજગાર કચેરી દ્વારા 3 ઓગસ્ટ, 2021 સુધી ઓનલાઈન ભરતી મેળાનું આયોજન.

ProudOfGujarat

વડોદરામાં તાલુકા વિકાસ અધિકારી અને જુ. ક્લાર્ક લાંચ લેતા ઝડપાયા.

ProudOfGujarat

ભરૂચનાં પત્રકારે લગ્નની એનિવર્સરી નિમિત્તે કોવિડ સ્મશાનમાં એક ટ્રક લાકડાનું દાન કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!