Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર નેશનલ હાઇવે નં. 48 પર ખરોડ ચોકડી પાસે લેન્ડમાર્ક હોટલ સામે અજાણ્યા વાહનની ટકકરે એક વ્યક્તિનું મોત થયું.

Share

ભરૂચ જીલ્લામાંથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલ ખરોડ ચોકડી પાસે અવારનવાર જીવલેણ અકસ્માતો થતાં હોય છે. તાજેતરમાં લેન્ડમાર્ક હોટલ પાસે બે રાહદારીઓનું મોત અજાણ્યા વાહનની અડફેટે આવતા થયું હતું. આ બનાવ અંગે પોલીસ તપાસ કરે તે પહેલા અંકલેશ્વર નેશનલ હાઇવે નં. 48 પર ખરોડ ચોકડી પાસે અન્ય એક વ્યક્તિનું મોત અજાણ્યા વાહનની અડફેટે થયું હતું. પોલીસ દ્વારા આ વિસ્તારમાં લગાડવામાં આવેલ CCTV કેમેરાનાં ફૂટેજ તપાસવામાં આવે તેવી લોકમાંગ ઊભી થઈ છે. ભરૂચ જીલ્લામાંથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વારંવાર અજાણ્યા વાહનોની અડફેટે આવતા અજાણ્યા માણસોનાં મોત નિપજતા હોય છે. ત્યારે આ અંગે તંત્ર દ્વારા અસરકારક કામગીરી થાય તેવી લોકમાંગ ઉભી થઈ છે.

Advertisement

Share

Related posts

નેત્રંગ તાલુકાના અલગ અલગ ત્રણ ગામો ખાતે “આત્મ નિર્ભર ગ્રામયાત્રા”નો રથ આવ્યો.

ProudOfGujarat

CAA અને NCR અંગે આદિવાસીઓ માં લોક જાગૃતિ માટે આ કાર્યક્રમ યોજાયો હતો.

ProudOfGujarat

દહેજની વેલસ્પન કંપની બહાર કામદારોનો ઉગ્ર વિરોધ : દહેજ ઈન્ડસ્ટ્રીઝ મેં શોર હૈં, વેલ્સપન કંપની ચોર હૈં ના સૂત્રોચ્ચાર કરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!