Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર રાજપીપલા રેલ્વેલાઇન પર સ્ટેશન ઉધોગનગર વચ્ચેની ફાટક તા.૧૮ થી ‍૧૯ બંધ રહેશે.

Share

વેસ્ટર્ન રેલ્વેનાં રાજપારડી સ્થિત કાર્યાલયની એક અખબારી યાદીમાં જણાવાયા મુજબ હાલમાં રેલ્વે દ્વારા રેલ્વે ટ્રેકનું મેન્ટેનન્સ ચાલતુ હોવાથી અંકલેશ્વર રાજપીપલા લાઇન પર વેસ્ટર્ન રેલ્વે દ્વારા સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત અંકલેશ્વર રાજપીપલા રેલ્વે લાઇન પર સ્ટેશન અંકલેશ્વર ઉધોગનગર વચ્ચેની રેલ્વે ફાટક નં.૩ તા.૧૮ જુનનાં સવારનાં ૮ થી તા.૧૯ જુનનાં સાંજનાં ૬ વાગ્યા સુધી વાહનોની અવરજવર માટે બંધ રાખવામાં આવશે.રેલ્વે ટ્રેકનાં રીપેરીંગ અને મેન્ટેનન્સ માટે આ ફાટક બંધ રખાતા વાહનો આ રેલ્વે લાઇન પર 7 A અને 8 A તેમજ 1A,7,8 પર ડાયવર્ટ કરાયા છે.વે.રેલ્વેની યાદીમાં જણાવાયા મુજબ રેલ્વે ટ્રેકનાં સમારકામ માટે ફાટક ન.૩ ઉપરોક્ત દિવસો દરમિયાન વાહનો માટે સદંતર બંધ રાખવામાં આવનાર હોવાથી વાહનચાલકોએ અવરજવર માટે દર્શાવેલ વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.

Advertisement

Share

Related posts

વડોદરા ઢોર પકડનાર પાર્ટી પર હુમલો થયા બાદ તંત્ર એક્શનમાં, અકસ્માત થશે તો કડક કાર્યવાહી કરવાની મેયરની ચીમકી.

ProudOfGujarat

ભરૂચ યુથ કોંગ્રેસ પ્રમુખ નિખિલ શાહ એ પાર્ટી માંથી આપ્યું રાજીનામુ

ProudOfGujarat

લીંબડી સેવા સદન ખાતે આગમી ત્રીજી તારીખે યોજાનાર પેટાચૂંટણીના ઇવીએમ સ્ટ્રોંગ રૂમમાં મુકાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!