Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરની હિમાની ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં બે દિવસ પહેલા લાગેલી આગમાં વધુ એક કામદારનું સારવાર દરમ્યાન મોત નીપજયું.

Share

અંકલેશ્વર GIDC માં આવેલ હિમાની ઇન્ડસ્ટ્રીઝમાં બે દિવસ પહેલા વહેલી સવારે લાગેલી ભયાનક આગમાં એક કામદારનું ગંભીર દાઝી જવાથી તેનું મોત નીપજયું હતું. જયારે પાંચથી વધુ કામદારો શરીરે ગંભીર રીતે દાઝી જતાં તેઓને સારવાર અર્થે ખાનગી હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેમાથી વધુ એક કામદાર સુજીતકુમાર મહતો ઉ.વ.30 હાલ રહે. શાંતિનગરનાઓનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું. જયારે હાલ અન્ય ચાર કામદારોની સારવાર ચાલી રહી છે. હાલ તો આ મામલે પોલીસ તપાસ FSL અને હેલ્થ એન્ડ સેફટી વિભાગ દ્વારા આગ લાગવાની ઘટનામાં તપાસ કરી રહી છે. તેમના રિપોર્ટ બાદ ફરિયાદ દાખલ કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.

Advertisement

Share

Related posts

નડિયાદ : વસોમાં બંધ મકાનમાં તસ્કરોએ રોકડા રૂપિયા અને દાગીનાની ચોરી કરી ફરાર

ProudOfGujarat

ભરૂચના ટ્યુશન ક્લાસીસ સંચાલકોની ફાયર એન.ઓ.સી માટે પાલિકા પ્રમુખને રજૂઆત.

ProudOfGujarat

સુરત ખાતે શક્તિદળની પત્રકાર પરિષદ યોજાઇ હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!