Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : માતા-પિતા સાથે સુતેલી ચાર વર્ષીય બાળકીનું અપહરણ કરી એક નરાધમ ફરાર થઈ ગયો હતો.

Share

અંકલેશ્વર જીઆઇડીસી રેલવે સ્ટેશનના પ્રતિન ચોકડી વિસ્તારમાં ગત રાત્રી દરમ્યાન માતા-પિતા સાથે સુતેલી ચાર વર્ષીય બાળકીનું અપહરણ કરી એક નરાધમ ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી હતી. અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં પ્રતિન ચોકડી પાસે કમલ શોપિંગ સેન્ટર દુકાનના ઓટલે રાત્રિ દરમ્યાન સૂતેલાં શ્રમજીવી દંપતીની ચાર વર્ષીય બાળકીનું અપહરણ કરી ફરાર થઈ ગયો હતો. માતા-પિતા સાથે સુતેલી ચાર વર્ષની બાળકીને ઉઠાવી ભાગી જવાની સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી હતી. આ બનાવની અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ થતા પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી સધન શોધખોળના ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement

Share

Related posts

ગુજરાત સરકાર દ્વારા ખાસ કૃષિ પેકેજ પુર અસરગ્રસ્ત ખેડૂતો માટે જાહેર કરાયું

ProudOfGujarat

ઝઘડિયા બેઠક પર પરિવર્તન- સાત ટર્મથી વિજયી થનાર છોટુભાઈ વસાવાની હાર, ભાજપાના રિતેશભાઇ વસાવાની જીત.

ProudOfGujarat

ભરૂચમાં ચાઈનીઝ દોરીના વેચાણ સામે પોલીસની લાલઆંખ, હજારોના મુદ્દામાલ સાથે એકની ધરપકડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!