Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર શહેરના ગોયા બજાર વિસ્તારમાં આવેલ અલંકાર જવેલર્સમાં થયેલ અંદાજીત 17 તોલા સોનાની ચોરીના મામલામાં પોલીસે ટ્રાન્સફર વોરન્ટથી એક આરોપીની અટકાયત કરી છે.

Share

મૂળ પશ્ચિમ બંગાળના અને હાલ અંકલેશ્વરના પંચાટી બજાર સ્થિત કબીર મંદિર સામે રહેતા સફીરૂલ નુરઉલહોદા શેખની ગોયા બજારમાં અલંકાર જવેલર્સ ચલાવે છે ગત તા.19-12-2019 ના રોજ તેઓની દુકાનમાં કામ કરતા મૂળ બંગાળી કારીગરો નીલકંઠ રાહુલ ખેત્રોપાલ,અજય મોહન ખેત્રોપાલ અને ચંદી જીવનકિશન હાજરા દુકાનમાં રહેલ સોનાની વિવિધ વસ્તુઓ મળી અંદાજીત 17 તોલા સોનુ મળી કુલ 5.10 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. તે દરમિયાન પશ્ચિમ બંગાળ પોલીસે ચોરીમાં સંડોવાયેલ ચંદી જીવનકિશન હાજરાને ઝડપી પાડયો હતો.

જેની વધુ પૂછપરછ કરતાં તેણે અંકલેશ્વરની અલંકાર જ્વેલર્સમાંથી ચોરી કરી હોવાનું કબૂલ કર્યું હતું. પોલીસે અંકલેશ્વર શહેર પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે તેની પશ્ચિમ બંગાળ પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરન્ટથી અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર તાલુકાના અમરાતપરા ગામમાં સીમમાં ચાલતી દેશી દારૂની મીની ફેકટરી ઉપર પોલીસનો સપાટો,મોટી માત્રામાં દારૂનો જથ્થો કબ્જે કરાયો.

ProudOfGujarat

અમેરિકામાં હિટ એન્ડ રનમાં ગુજરાતી યુવકનું મોત, પિતા સાથે વાત કરતાં જ ગાડીએ ટક્કર મારી

ProudOfGujarat

ઉમરપાડા નસારપુર ગામે રાત્રી ગ્રામસભા યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!