Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના જુના બોરભાઠા બેટ પાસે ઝાડીઓમાં ફાંસો ખાધેલી હાલતમાં પુરુષનો મૃતદેહ મળતા ચકચાર

Share

અંકલેશ્વરના જુના બોરભાઠા બેટમાં આવેલા નાળા પાસે એક વ્યક્તિનો ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરેલો મૃતદેહ મળી આવતાં આ સમગ્ર મામલે અંકલેશ્વર બી-ડિવિઝન પોલીસે સ્થળ ઉપર પહોંચી વધુ તપાસ હાથ ધરી.

અંકલેશ્વરમાં આજે એક પુરુષે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. અંકલેશ્વરના જુના બોરભાઠા બેટ ગામના નાળા પાસે ઝાડીઓમાં એક અજાણ્યા અંદાજીત 50 વર્ષીય પુરુષનો ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. આ બનાવની જાણ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને કરવામાં આવતાં તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી અંકલેશ્વર બી-ડિવિઝન પોલીસ મથકને જાણ કરી હતી. બી-ડિવિઝન પોલીસે સ્થળ પર દોડી આવી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવાની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

સમગ્ર રેતી ખનન ગેરકાયદેસર હોવા છતા રાજકીય ભંગના કારણે ભારે વાહનોના માલિકો બેલગામ::: વાંચો આગળ

ProudOfGujarat

અમદાવાદમાં 582 CRના ખર્ચે બની રહી છે 17 માળની હોસ્પિટલ, PM મોદી કરશે ઉદ્દઘાટન..

ProudOfGujarat

ભરૂચમાં વાલ્મીકિ સમાજ અને દલિત સમાજ દ્વારા નગરપાલિકા ખાતે હાથરસ અને રાપર બનેલ ઘટનાનાં વિરોધમાં આવેદનપત્ર આપી મૃતકને શ્રદ્ધાંજલી આપવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!