Proud of Gujarat
FeaturedGujaratINDIA

કસાઈઓના કારનામાનો અંત – અંકલેશ્વર ખાતે આલુંજ ગામની સીમમાંથી ગૌ માસ અને ગૌ વંશ સાથે ત્રણ ખાટકી ઝડપાયા

Share

અંકલેશ્વર તાલુકાના પાનોલી પોલસ મથકની હદ વિસ્તારમાં આવેલ આલુંજ ગામની સીમમાં બાળવળીયાની વચ્ચે ગૌ વંશને ક્રૂરતા પૂર્વક બાંધી રાખી ગૌ વંશનું કતલ થતું હોવાની બાતમીના આધારે પાનોલી પોલીસના કર્મીઓએ સ્થળ ઉપર દરોડા પાડી 31 જેટલાં ગૌવંશને કસાઈની ચૂંગાલ માંથી મુક્ત કરાવી 260 કિલો ગ્રામ માંસ કબ્જે કરી ત્રણ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

પાનોલી પોલીસે મામલે ત્રણ જેટલાં આરોપી (1) આશિફ અબ્દુલ સુલેમાન જોગીયાત રહે,આલુંજ અંકલેશ્વર (2) સુલેમાન ઇકબાલ સુલેમાન જોગીયાત રહે,આલુંજ અંકલેશ્વર તેમજ (3) સલમાન સઇદ અહેમદ કાલુ દીવાન રહે, પાનોલી અંકલેશ્વર નાઓની ધરપકડ કરી તેઓ પાસેથી કતલ કરવાના સાધનો છરીઓ, કુહાડી વજન કાંટો સહિત 31 નંગ ગૌવંશ મળી કુલ 4,89,550 નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

પાનોલી પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે છેલ્લા કેટલાક સમયથી ગૌવંશનું કતલ કરી તેને આરોપીઓ દ્વારા પોતાના આર્થિક ફાયદા સારું વેચાણ કરવામાં આવતું હતું, પરંતુ આખરે આ કસાઈઓના કારનામાને પાનોલી પોલીસ ઝડપી પાડી 30 થી વધુ જીવંત પશુઓને કસાઈઓની ચૂંગાલમાંથી મુક્ત કરાવ્યા હતા અને તેઓને જેલના સળીયા ગણતા કર્યા છે.

Advertisement

Share

Related posts

ઝઘડીયાનાં ઉમલ્લા નજીક સુરતનો ટ્રક ચાલક લૂંટાયો.

ProudOfGujarat

હવે એક્સપ્રેસ ગતિ – અમદાવાદથી અંકલેશ્વર સુધી 8 લેન એક્સપ્રેસ વે બીજા ચરણમાં ખુલ્લો મુકવાની શક્યતા

ProudOfGujarat

ભરૂચ જીલ્લા સહિત અન્ય તાલુકામાં કેટલો વરસાદ વરસ્યો જાણો ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!