Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના સારંગપુર ગામમાં બે સગી બહેનો ગુમ થતા ચકચાર, અપહરણની આશંકા એ પોલીસે તપાસ શરૂ કરી

Share

અંકલેશ્વરના સારંગપુર ગામમાં બે સગી બહેનો રહસ્યમય સંજોગોમાં લાપતા બની છે. પોલીસે મામલાની તપાસ શરૂ કરી છે. સૂત્રો અનુસાર સારંગપુર ગામમાં દુકાન ચલાવતા મોહમદ રાજુખાં મહોમદ સાદીકખાનની ૧૪ વર્ષની તોફાખાતુન અને ૧૩ વર્ષની રહેમતીખાતુન પિતાની દુકાનેથી ઘરે જવા રાતે ૯ વાગ્યા બાદના અરસામાં નીકળી હતી. આ બાળકીઓ ત્યારબાદ ઘરે પહોંચી જ ન હતી.

આસપાસ રમતી હોવાના અનુમાન વચ્ચે પ્રારંભે મામલાને ગંભીરતાથી ન લેવાયો હતો પરંતુ લાંબા સમય સુધી બાળકીઓ ઘરે ન પહોંચતા શોધખોળ શરૂ કરાઈ હતી. પિતાની દુકાનેથી ઘરે જવા નીકળેલી બાળકીઓ ઘરે ન પહોંચી હોવાની જાણ પરિવારજનો અને પોલીસને કરવામાં આવતા પોલીસતંત્ર પણ હરકતમાં આવ્યું હતું.

Advertisement

બાળકીઓનો આખીરાત શોધખોળ કરવા છતાં ક્યાંય પત્તો મળ્યો નથી. બનાવ સંદર્ભે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ આજ પ્રકારે અંક્લેશ્વરમાંથી રમતા રમતા લાપતા બનેલી ૯ વર્ષની બાળકી લાપતા બન્યા બાદ તેની તપાસ CBI ને સોંપાઈ છે. જે બાદ વધુ એકવાર એક સાથે બે જેટલી સગીરાઓ ગુમ થવાની ઘટના એ પંથકમાં ભારે ખળભળાટ મચાવ્યો છે.


Share

Related posts

વડોદરાનાં કરજણ તાલુકાનાં કલા શરીફ ખાતે ૧૨ મો મુસ્લિમ સમૂહ લગ્નોત્સવ કાર્યક્રમ યોજાયો હતો.

ProudOfGujarat

વડોદરા : ડેસર તાલુકાના દીપાપુરા ગામમાં સાદી રેતીના બિન અધિકૃત વેપાર પર ખનિજ ટીમ ત્રાટકી…

ProudOfGujarat

જ્ઞાતિ અને ધર્મના ભેદ વગર ભાઇચારાના વાતાવરણમાં એક અનોખું સામાજિક કાર્ય થયું જાણો ક્યાં? અને કેવી રીતે?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!