Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં થોડા દિવસો અગાઉ ગુમ થયેલ બાળકની લાશ નવા ગામ રેલ્વે ટ્રેક પાસેની ખાડીમાંથી મળી આવતા ચકચાર

Share

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં ગત તારીખ 23/01/2023 ના રોજ મીરાનગર પાસેની સોનમ સોસાયટીનો 13 વર્ષીય ક્રિષ્ના નામનો બાળક ગુમ થયેલ હોવાની ફરિયાદ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના ચોપડે નોંધાઈ હતી, પોલીસ દ્વારા બાળકના ગુમ મામલે અપહરણની શંકા વ્યક્ત કરી તપાસના ધમધમાટ શરૂ કર્યા હતા.

જે ઘટનાના એક સપ્તાહ બાદ ગુમ થયેલ બાળક ક્રિષ્નાનો મૃતદેહ આજરોજ ડી કંપોઝ હાલતમાં અંકલેશ્વરના નવાગામ રેલ્વે ટ્રેક પાસેથી ખાડીમાંથી મળી આવતા ભારે ખળભળાટ મચ્યો હતો. સમગ્ર મામલે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસને જાણ કરવામાં આવતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.

Advertisement

અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ દ્વારા સ્થળ પર પહોંચી મૃતક બાળકની લાશનો કબ્જો મેળવી તેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી મામલે હત્યાની આશંકાઓ વચ્ચે તપાસના ધમધમાટ શરૂ કર્યા છે.


Share

Related posts

અમદાવાદ- ઈન્દોર હાઈવે પર ડમ્પર ચાલકે કારને પાછળથી ટક્કર મારતાં કારમાં બેઠેલા બે વ્યક્તિઓના મોત

ProudOfGujarat

ઝઘડીયા : વણાકપોર ગામે બહારથી આવેલ પાંચ વ્યક્તિઓનાં ઘરો હોમ કવોરન્ટાઇન કરાયા.

ProudOfGujarat

નડિયાદના વસો તાલુકામાં એન્ટી ટોબેકો રેડ કરી ૧૧ વ્યક્તિઓ સામે કાર્યવાહી કરાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!