Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં ભિક્ષુકોનાં મોત થવાથી તે ગરમી અથવા બીમારીથી થવાની શંકા.

Share

અંકલેશ્વર પંથકમાં 60 કરતાં વધુ ઉંમરનાં બે અજાણ્યા ભિક્ષુક પુરૂષોનાં મોત થતાં તેઓનાં મોત ગરમીથી અથવા કોઈક બીમારીથી થયા હોવાની શંકા લોકોમાં ઊભી થઈ છે. અંકલેશ્વર પંથકમાં લોક ડાઉનનો ચુસ્ત અમલ થઈ રહ્યો છે. ત્યારે સેવાભાવી સંસ્થાઓ લોકોને બે સમયનું ભોજન આપીને સમાજ સેવા કરી રહ્યા છે. ત્યાં હવે અંકલેશ્વર શહેરમાં બે વૃદ્ધોનાં મોત થયાં હોવાની ઘટના પોલીસ મથકમાં દાખલ થઈ છે. જેમાં અંકલેશ્વર શહેરનાં બસ ડેપો પાસે 60 વર્ષીય વૃદ્ધ મૃત હાલતમાં મળી આવ્યા હતા. શરીરે અસ્વસ્થ દેખાતા આ વૃદ્ધનું મોત કોઈક બિમારીથી અથવા હિટવેવનાં કારણે થયું હોવાની લોકોને શંકા છે. જયારે બીજી ઘટનામાં અંકલેશ્વર રેલ્વે સ્ટેશન ટાંકી ફળિયા પાસે ઓવરબ્રિજ નીચે 65 વર્ષીય વૃદ્ધ મૃત હાલતમાં મળી આવ્યો હતો. બંને ભિક્ષુક લાગતાં હતા. પોલીસને જાણ થતાં મૃતદેહનો કબ્જો મેળવી તેમનું મોત કયાં કારણોસર થયું તે માટે પી.એમ. અર્થે મોકલી આપી હાલ તો અકસ્માત મોત અંગે ગુનો દાખલ કરી પોલીસે તપાસ શરૂ કરી છે.

Advertisement

Share

Related posts

ગોધરામાં લોકડાઉનની અસર નહિવત : શહેરા ભાગોળ રેલ્વે ફાટક પાસે શાક માર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સીંગનાં ધજાગરા.

ProudOfGujarat

રાજકોટમાં યુવકે માતાને ઝેર આપી પોતે પણ ઝેરી દવા પી આપઘાત કર્યો

ProudOfGujarat

સર્વપ્રિય નેતા સ્વ.અહમદ પટેલના જન્મદિવસ નિમિતે અંકલેશ્વર સ્થિત સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટીટ્યુટે ફ્રી ઓ.પી.ડી કન્સલ્ટેશનનું આયોજન કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!