Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં પુનઃ ઓએનજીસી ગ્રાઉન્ડ ખાતે 48 ફૂટના રાવણનું દહન કરાશે.

Share

રાજ્ય સૌથી મોટા રાવણ દહન આયોજન પૈકીનું એક આયોજન અંકલેશ્વર ખાતે થાય છે. 48 ફૂટના રાવણ, 45 ફૂટના કુંભકર્ણ અને 43 ફૂટના મેઘનાથના પૂતળા છેલ્લા 40 દિવસમાં 6 કલાકાર તૈયાર કર્યા છે. મહારાષ્ટ્રના શિવકાશીની ભવ્ય આતીશબાજી પણ રાવણ દહનનું અનેરું આકર્ષણ બને બને છે.

અંકલેશ્વરના ઓએનજીસી રામલીલા સમિતિ દ્વારા છેલ્લા 48 વર્ષથી આ આયોજન ઓએનજીસી ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી રહ્યું છે, રામલીલા અને દશેરાનો મેળો પણ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે, ત્યારે હાલ દશેરા પર્વને લઇ કારીગરો દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

Advertisement

કોરોના કાળ બાદ ફરી એકવાર અંકલેશ્વરમાં દશેરાના પર્વને ધામધૂમથી ઉજવવવા માટેની તૈયારીઓને આખરી ઓપ અપાઇ ચુક્યો છે, ત્યારે શહેરીજનો પણ રાવણ દહનના કાર્યક્રમને નિહાળવા માટે આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે.

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744


Share

Related posts

સુરતઃ પતિ સાથે ઝઘડો થયા બાદ પત્નીએ બે બાળકો સાથે ટ્રેન નીચે કૂદી કર્યો આપઘાત

ProudOfGujarat

“ठग्स ऑफ हिंदुस्तान” ने सबसे महंगे आउटडोर शूट के साथ बनाया रिकॉर्ड!

ProudOfGujarat

ભરૂચ : ભોલાવ વિસ્તારનાં આકાશ ગંગા સોસાયટી ખાતે થયેલ લૂંટનાં બનાવમાં ફરિયાદી બની આરોપી જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!