Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIA

અંકલેશ્વર રાજપીપળા રોડ ઉપર પદ્માવતી સોસાયટી માં પતિએ પત્ની ઉપર આડા સંબંધનો વહેમ રાખી મોતને ઘાટ ઉતારી પતિ ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી છે

Share

અંકલેશ્વર શહેરમાં રાજપીપળા ચોકડી નજીક પદ્માવતી નગર આવેલ છે જેમાં દિલદારસિહં અને તેમની પત્ની આશા દેવી રહે છે સુખી રહેતા પરિવારમાં દિલદારસિહં ને તેની પત્ની ઉપર શંકા હતી કે તેના કોઈની સાથે આડા સંબંધ છે આ મામલે દિલદારસિહં એ પત્ની આશા દેવી ને વારંવાર આ સંબંધ અંગે પૂછપરછ કરી હતી બંને વચ્ચે સામાન્ય ઝગડો પણ થતો હતો પરંતુ આજરોજ દિલદાર સિહં એ પત્ની આશા ને માથાના ભાગે માર મારતા તેનું મોત થયું હતું પતિ દિલદારસિહં ભાગી છૂટ્યો હતો આ બનાવ સંદર્ભે જીઆઇડીસી પોલીસને જાણ કરવામાં આવતા જીઆઇડીસી પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી મૃતક આશાદેવી ની લાશ ને લઈને પી એમ અર્થે મોકલી આપી હતી આ બનાવ સંદર્ભે પતિ દિલદારસિહં સામે હત્યા અંગે ગુનો દાખલ કરવામાં આવ્યા છે અને પતિની ધરપકડના ચક્રો ગતિમાન જીઆઇડીસી પોલીસે કર્યા છે આ બનાવ સંદર્ભે આજે અંકલેશ્વર ના ઈન્ચાર્જ ડીવાયએસપી ભોજાણી એ આ સમગ્ર હત્યા અંગેની વિગતો આપી હતી.

Advertisement

Share

Related posts

યુક્રેનથી હેમખેમ પરત આવેલી ભરૂચની યુવતીની ફૈઝલ પટેલ એ લીધી મુલાકાત…

ProudOfGujarat

IIM અમદાવાદનો ગ્લોબલ રેન્કિંગમાં રેન્ક ઘટ્યો, જાણો કેટલો છે રેન્ક

ProudOfGujarat

રાજ્ય નર્સિંગ કર્મચારીઓની પડતર માંગણીઓ નહીં સ્વીકારતા હડતાળ પર ઉતર્યા હતા.જેમાં ભરૂચ સિવિલ હોસ્પીટલનો નર્સીંગ સ્ટાફ પણ જોડાયો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!