Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં ઇદ- ઉલ -અઝહાની ઉલ્લાસભેર ઉજવણી કરાઈ.

Share

ઇસ્લામ ધર્મમાં વધુ ખુશી, વિશેષ પ્રાર્થનાઓ અને અભિવાદન કરવાનો તહેવાર એટલે ઈદ ઉલ અઝહા. ઈદ ઉલ અઝહાનો તહેવાર બકરી ઈદ તરીકે પણ ઉજવાય છે, ત્યારે આજે અંંકલેશ્વરમાં મુસ્લિમ બિરદારોએ ઈદ-ઉલ-અઝહાની ઉલ્લાસભેર ઉજવણી કરી હતી.

ઈદ-ઉલ-અઝહા, અઝહા અથવા દુહાનો અર્થ અરબીમાં કુરબાની થાય છે. એટલે ઇદુલ જહાનો અર્થ કુરબાનીનો તહેવાર થાય છે, ત્યારે આજે અંકલેશ્વર તાલુકામાં વસતા મુસ્લિમ બિરદારોએ ઈદ-ઉલ-અઝહાના પર્વની ભવ્ય ઉજવણી કરી એકમેકને શુભેચ્છા પાઠવી હતી. જોકે, હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીના પગલે ઈદગાહ મેદાને મુસ્લિમ બિરાદરો દ્વારા નમાજ મોકૂફ રાખવામાં આવી હતી. મુસ્લિમ સમાજે બકરી ઈદના પવિત્ર દિવસે પઢવામાં આવતી નમાઝ ઘર નજીકની મસ્જિદમાં અદા કરી એકબીજાને શુભેચ્છા પાઠવી હતી.

Advertisement

Share

Related posts

લગ્નની લાલચ આપીને સગીર બાળાનું અપહરણ કરીને ચાર મહિનાથી નાસતા ફરતા આરોપીને ભરૂચ ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો.

ProudOfGujarat

અમદાવાદ : EWS આવાસનો હપ્તો ન ભરનાર 5 હજાર લાભાર્થીને નોટિસ અપાશે.

ProudOfGujarat

ભરૂચના આંબેડકર હોલ ખાતે મહિલા સ્વરોજગાર દિવસ નિમીત્તે મહિલા સ્વરોજગાર મેળો યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!