Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં ઇનરવ્હીલ કલબ દ્વારા જરૂરીયાત મંદને વ્હીલચેર અર્પણ કરાઈ.

Share

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે ઇનરવ્હીલ ક્લબ દ્વારા જરૂરિયાત મંદ મહિલાઓને વ્હીલચેરનું દાન કરવામાં આવ્યું હતું. મુખ્યત્વે જે મહિલાઓ ઘણા લાંબા સમયથી અપંગતા કે પગની તકલીફથી પીડાતી હોય તેઓને આ ક્લબ દ્વારા વિનામૂલ્યે વ્હીલચેર આપવામાં આવી હતી. આ પ્રસંગે ઇનરવ્હીલ ક્લબના સભ્યો તેમજ પ્રમુખ સંધ્યા મિશ્રા ઉપસ્થિત રહ્યા હતા. અત્રે નોંધનીય છે કે અંકલેશ્વર સહિતના વિસ્તારોમાં જરૂરિયાતમંદ દર્દીઓને વ્હીલચેરની આવશ્યકતા હોય છે પરંતુ ઘણી વખત તેઓ ખરીદી શકતા નથી અથવા તો તેઓને વ્હીલચેર ખરીદી શકાય તેવી આર્થિક પરિસ્થિતિ હોતી નથી આથી આજે આ ક્લબ દ્વારા અત્યંત મહત્વની કામગીરી હાથ ધરવામાં આવી હોય જેમાં અનેક જરૂરિયાત મંદ મહિલાઓને વ્હીલચેર આપવામાં આવતા તેઓની ખુશીનો પાર રહ્યો ન હતો.

Advertisement

Share

Related posts

ગાંધીનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘે ફેટ દીઠ દૂધના ભાવમાં કર્યો વધારો, જાણો દૂધ ઉત્પાદકોને કેટલો મળશે વધારો

ProudOfGujarat

શ્રી લીંબડી કેળવણી મંડળ સંચાલિત નવનિર્માણિત થઈ રહેલ જીએસ કુમાર વિદ્યાલયના ઉદ્ઘાટન માટે કોરિયોગ્રાફર બોલાવી વિદ્યાર્થીઓને અલગ અલગ પ્રકારની ટ્રેડિંગ આપવામાં આવી રહી છે

ProudOfGujarat

રાહુલ ગાંધીનું સાંસદ પદ પરત અપાયું, લોકસભા સચિવાલયે અધિસુચના જાહેર કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!