Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર ખાતે UPL યુનિવર્સિટીનો વાર્ષિક મહોત્સવની ઉજવણી સંપન્ન કરાઇ.

Share

UPL યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજી દ્વારા Reva Fest 2022 વાર્ષિક મહોત્સવની ઉજવણી એઆઈએ હોલ અંકલેશ્વર ખાતે રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી કનુભાઈ દેસાઈની પ્રેરક ઉપસ્થિતિમાં સંપન્ન થઈ હતી. આ પ્રસંગે જીઆરપી લી.ના મેનેજીંગ ડાયરેક્ટર રાજેન્દ્ર ગાંધી, UPL યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજીના ચાન્સેલર સાંદ્રશ્રોફ, UPL યુનિવર્સિટીના મીરા પંજવાણી, ટ્રેઝરર કિશોર સુરતી, ટ્રસ્ટી બી.ડી.દલવાડી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Reva Fest 2022 વાર્ષિક મહોત્સવની ઉજવણીની થીમ Cultural Festival હતી. જેમાં ૨૦૦ જેટલાં વિદ્યાર્થીઓએ થીમ આધારિત ભારતીય સંસ્કૃત્તિ, જ્ઞાન, વંદન, ચિત્રકથા, નાટ્ય ઉપર ખુબ જ સુંદર રીતે પ્રદર્શન કર્યું હતું. જેને સૌએ નિહાળ્યું હતું. આ પ્રસંગે બેસ્ટ સ્ટુડન્ટ અને સ્ટાર ઓફ સ્ક્રીટની ઘોષણા કરી જે તે વિદ્યાર્થીને મંત્રીશ્રી તથા મહાનુભાવોના હસ્તે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ વેળાએ યોજેલ પ્રદર્શનનું પણ મંત્રીએ નિરીક્ષણ કર્યું હતું.

પ્રાસંગિક ઉદબોધનમાં મંત્રી કનુભાઈ દેસાઈએ ઉપસ્થિત વિદ્યાર્થીઓને મહેનત અને સફળતા વચ્ચેની ચાવી વિશે ખુબ જ સુંદર ઉદાહરણ આપી સમજણ આપી હતી. કાર્યક્રમના સુંદર આયોજન બદલ UPL યુનિવર્સિટીને અભિનંદન પાઠવ્યા હતા.

Advertisement

જીઆરપી લી.ના મેનેજીંગ ડાયરેક્ટર રાજેન્દ્ર ગાંધીએ ટેકનોલોજીના જમાનામાં વિદ્યાર્થીઓએ એન્જીનીયર બનવાની સાથે એક સારા માણસ બનવા પાછળનું મહત્વ સમજાવ્યું હતું. આ વેળાએ અન્ય મહાનુભાવો દ્વારા પ્રાસંગિક પ્રવચન તેમજ સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અંકલેશ્વર ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ રમેશભાઈ ગાબાણી, પૂર્વ પ્રમુખ એન.કે.નાવડીયા, એસોસિએશનના હોદ્દેદારો, રોટરી કલબ ઓફ અંકલેશ્વરના પ્રમુખ જીગ્નેશ પટેલ અને અન્ય સભ્યો શ્રીકાંત વાઘ, ઈ.ચા. રજીસ્ટ્રાર ધર્મેશ પટેલ, સાયન્સ અને ટેકનોલોજીના ડીન, ડૉ. સ્નેહલ લોખંડવાલા, એન્જીનિયરીંગ ડીન, ડૉ. ઓમપ્રકાશ, અધ્યાપકગણ, કર્મચારીગણ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.


Share

Related posts

ધોરણ 7 નાં સરકારી પાઠ્યપુસ્તકમાં આદિવાસી શબ્દને બદલે વનવાસી શબ્દ લખવામાં આવતાં ભારતીય ટ્રાઈબલ પાર્ટીનાં આગેવાને સમગ્ર આદિવાસી સમાજનું અપમાન કરવાના વિરોધમાં મુખ્યમંત્રીને ફરિયાદ કરી.

ProudOfGujarat

સુરતમાં આંગણવાડી કાર્યકર બહેનોના ધરણા.

ProudOfGujarat

નડિયાદ : કઠલાલ તાલુકાના વિશ્વનાથપુરા ગામમાં કાચુ મકાન ધરાશાયી થતાં એકનુ મોત, પાંચને ઇજા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!